અમદાવાદઃ PSIની દોડની પરીક્ષામાં અંકલેશ્વરના લોકરક્ષક યુવકનું મોત

અમદાવાદઃ સરકારી નોકરી અને સુખી જીવનના સપના સાથે ઘણા યુવાનો સરકારી પરિક્ષા આપતા હોય છે. આવું જ એક સુખી જીવનનું સ્વપ્ન સેવનાર યુવાન ગાંધીનગર ખાતે PSIની દોડની મંગળવારે યોજાયેલી પરિક્ષામાં મોત સામે જ હારી ગયો અને જીંદગી ગુમાવી દીધી.
PSIની દોડની પરીક્ષામાં એક જવાન મોત સામે હારી ગયો હોવાની ઘટના સામે આવી. દોડની પરીક્ષા દરમ્યાન એક લોકરક્ષકનું મોત થયું છે. ગાંધીનગર સેક્ટર 27માં પોલીસ હેડક્વાર્ટર ખાતે આજે પીએસઆઈની ભરતી માટે દોડની પરીક્ષા યોજાઈ હતી.
આ દોડમાં 800 જેટલા ઉમેદવારોએ હાજરી આપી હતી જેમાંનો એક અંકલેશ્વરમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતો 31 વર્ષીય પ્રદિપકુમાર કંચનભાઈ તડવી પણ હતો. જ્યારે દોડ શરૂ થઈ ત્યારે તેને હાંફ ચઢી ગયો હતો. જોકે તુરંત મેડિકલ ટીમ તેની પાસે પહોંચી હતી અને તેને સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.