ભાજપ પાસે કર્ણાટકમાં કોંગ્રેસમાં તોડફોડ કરવાના બદલે સત્તા ટકાવવાનો બીજો શું છે સરળ રસ્તો ? જાણો મહત્વની વિગત
ભાજપ પાસે સરળ રસ્તો કોંગ્રેસ, જેડીએસ, અન્ય પક્ષો વગેરેના મળીને 8 ધારાસભ્યો તોડવાના બદલે એકલા જેડીએસના 13 ધારાસભ્યો તોડવાનો છે. જેડીએસના ત્રીજા ભાગના ધારાસભ્યો તૂટે તો એ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ના ઠરે. આ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન પણ કરી શકે ને ભાજપની બહુમતી થઈ જાય.
જો કે ભાજપ કોંગ્રેસ અને જેડીએસના 8 ધારાસભ્યો તોડે પણ એ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન ના કરી શકે. પક્ષાંતર વિરોધી કાયદાના કારણે ભાજપની તરફેણમાં મતદાન કરનારા ધારાસભ્યોના મત આપોઆપ રદ ઠરે તેથી ભાજપે તેમને વિશ્વાસના મત વખતે ગેરહાજર રાખવા પડે.
ભાજપ જો કોંગ્રેસ-જેડીએસના 7 ધારાસભ્યો તોડે તો કોંગ્રેસ-જેડીએસની સભ્યસંખ્યા 107 થાય. ભાજપે બહુમતી સાબિત કરવા માટે એક વધારે એટલે કે 8 ધારાસભ્યો તોડવા પડે તો જ તે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકે. આમ કુલ મળીને ભાજપે 11 ધારાસભ્યોને તોડવા પડે.
અત્યારે જે સ્થિતી છે એ પ્રમાણે ભાજપ પાસે 104, જેડીએસ પાસે 37 અને કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો છે. આ ઉપરાંત એક અપક્ષ, એક બહુજન સમાજ પાર્ટી અને એક કર્ણાટક પ્રજ્ઞાવંથ જનતા પાર્ટી (કેપીજેપી)નો ધારાસભ્ય છે. અન્ય પક્ષોના ત્રણેય ધારાસભ્યો ભાજપને ટેકો આપો તો ભાજપના સભ્યોની સંખ્યા 107 થાય.
રાજ્યપાલ વજુભાઈ વાળા ભાજપના નેતા હતા તેથી તે ભાજપને સરકાર રચવા નિમંત્રણ આપે તેવી શક્યતા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી એ સંજોગોમાં ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા પડે એવી સ્થિતી છે. અત્યારનાં સમીકરણ પ્રમાણે ભાજપે કુલ મળીને ઓછામાં ઓછા 12 ધારાસભ્યોને તોડવા પડે તેમ છે.
અમદાવાદઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળી તેના પગલે રાજકીય મડાગાંઠ સર્જાઈ છે. ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ બંનેએ પોતાની પાસે વધારે ધારાસભ્યોનો ટેકો છે તેવો દાવો કરીને સરકાર રચવા પોતાને નિમંત્રણ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.