✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાત કેડરના કયા દબંગ IPS ઓફિસરે આપ્યું રાજીનામું, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2018 02:57 PM (IST)
1

રજનીશ રાય સેન્ટ્રલ ડેપ્યુટેશન પર હતા ત્યારે જ તેમણે રાજીનામું આપ્યાના અહેવાલ છે. તેઓ આંધ્રપ્રદેશમાં સીઆરપીએફમાં ફરજ બજાવી રહ્યા હતા. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, તેઓ સેન્ટ્રલ ગવર્મેન્ટના ડેપ્યુટેશન પર હોવાથી તેમણે પોતાનું રાજીનામું ગુજરાત સરકારને બદલે કેન્દ્ર સરકારને મોકલી આપ્યું છે.

2

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ સીબીઆઈને સોંપાઈ તે પહેલા રજનીશ રાયે ડીજી વણઝારા, રાજકુમાર પાંડિયન તેમજ ઉદેપુરના તે સમયના એસપી દિનેશ એમ.એન.ની ધરપકડ કરી હતી. જોકે ત્યાર બાદ આ કેસોની તપાસ તેમની પાસેથી લઈને પૂર્વ આઈપીએસ ગીતા જોહરીને સોંપવામાં આવી હતી.

3

રજનીશ રાયના પત્ની વત્સલા વાસુદેવ ગુજરાત કેડરના જ આઈએએસ અધિકારી છે. બે વર્ષની રજા બાદ હાલમાં જ તેમણે સર્વિસ જોઈન કરી છે અને તેમને તાજેતરમાં જ ઊર્જા વિકાસ નિગમમાં નિમણૂંક કરવામાં આવી છે.

4

અમદાવાદ: 1992ની બેંચના ગુજરાત કેડરના આઈપીએસ રજનીશ રાયે રાજીનામું આપ્યું છે. તેમણે અંગત કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, આ અહેવાલને હજુ કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. રજનીશ રાય સોહરાબુદ્દીન તેમજ તુલસીરામ પ્રજાપતિ ફેક એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના સીનિયર આઈપીએસ અધિકારીઓની ધરપકડ કરીને ચર્ચામાં આવ્યા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાત કેડરના કયા દબંગ IPS ઓફિસરે આપ્યું રાજીનામું, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.