કેન્દ્રના આદેશ પછી ફિક્સ પગારના કર્મચારીઓને ગુજરાત સરકારે આપ્યો ક્યો મોટો લાભ ? જાણો વિગત
રાજય સરકારના કર્મચારીઓ કે જેમને સામાજિક સુરક્ષાનું છત્ર મળેલું નથી તેમને પ્રોવિડન્ડ ફંડ અને પરચૂરણ જોગવાઈઓના કાયદા હેઠળના લાભો આપવા ભારત સરકારે ગુજરાત સરકારને જાણ કરી હતી. જેના અનુસંધાને ગુજરાત સરકારે હવે આદેશ જાહેર કર્યા છે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ રાજય સરકારના તમામ વિભાગો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની તમામ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા-તાલુકા પંચાયતો સહિતની તમામ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, સરકાર હસ્તકના તમામ જાહેર નિગમો, સહકારી સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓમાં આઉટ સોર્સિંગથી કામ કરતાં કે ફિકસ પગારથી કામ કરતાં તમામ કર્મચારીઓ-અધિકારીઓને 'કામદાર ભવિષ્યનિધિ(પ્રોવિડન્ડ ફંડ-પીએફ)' અને 'પરચૂરણ જોગવાઈઓના કાયદા'નો લાભ આપવા કેન્દ્ર સરકારને ગુજરાત સરકારે આદેશ કર્યો છે.
તેવા તમામ કર્મચારીઓને ભવિષ્યનિધિ (પ્રોવિડન્ડ ફંડ) અચૂક કપાય અને તેમને સામાજિક સુરક્ષાનો લાભ મળી તે માટે રાજય સરકારે જરૂરી સૂચનાઓ જારી કરવી આવશ્યક છે. ભારત સરકારની સમજ અને રાજય સરકારને કરાયેલી જાણ બાદ રાજય સરકારે આઉટ સોર્સિંગથી કામ કરતી સંસ્થાઓ-એજન્સીઓ માટે કેટલાક કડક આદેશો જારી કર્યા છે. તેના ઉપર અમલ કરવો જરૂરી બન્યો છે.
ભારત સરકારે નક્કી કર્યુ હતું કે, રાજય સરકારના વિભાગો, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ, સરકાર હસ્તકના બોર્ડ-નિગમો, રાજયની સહકારી સંસ્થાઓ, સ્વાયત્ત સંસ્થાઓમાં આઉટ સોર્સિંગથી કામ કરતાં કર્મચારીઓ, કોન્ટ્રાકટ (કરારથી કામ કરતાં) કર્મચારીઓ, સરકારના કામ માટે ફિકસ પગારથી રખાયેલા પ્રત્યેક કર્મચારીઓ કે જેમને કોઈપણ અધિનિયમ (કાયદા) હેઠળ સામાજિક સુરક્ષાના લાભો મળતા નથી.
કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનના અમલકર્તા અધિકારીઓ સંબંધિત સંસ્થાઓને કામદાર ભવિષ્યનિધિ અને પરચૂરણ જોગવાઈઓના અધિનિયમ (કાયદા) હેઠળ નોટિસો આપીને જરૂરી-કરવા પાત્ર કાર્યવાહી હાથ ધરતાં હતા પરંતુ ભારત સરકારને એમ સમજાયું હતું કે, આ પ્રશ્ન એટલો વિસ્તૃત છે કે તેને પહોંચી વળવું તો મુશ્કેલ છે જ અને રાજયોની સરકારોના તંત્રોની સામે પગલાં લેવા પણ યોગ્ય કે સલાહ ભરેલું નથી.
બીજી તરફ સરકારો કે સંસ્થાઓ એમ માનતી હતી કે, આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા આઉટ સોર્સિંગથી કામ કરતાં શ્રમિકોની નોંધણી આ અધિનિયમ હેઠળ કરવામાં આવતી ન હોવાથી આવા શ્રમિકો કામદાર ભવિષ્યનિધિ અને પરચૂરણ જોગવાઈઓના અધિનિયમ હેઠળ મળવાપાત્ર કોઈ લાભને પાત્રતા બનતા નથી.
આવા કર્મચારીઓ-અધિકારીઓને આ રીતે સામાજિક સુરક્ષાનું છત્ર પૂરું પાડવામાં ગુજરાત સરકારે એકથી દોઢ વર્ષ જેટલું મોડું કરી નાખ્યું છે. ભારત સરકારના શ્રમ રોજગાર મંત્રાલયે જૂલાઈ-૨૦૧૫માં તે વખતના રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને અને કર્મચારી ભવિષ્યનિધિ (પ્રોવિડન્ડ ફંડ) ને જૂન-૨૦૧૬માં ગુજરાત સરકારના તમામ વિભાગો, બોર્ડ-નિગમો, રાજયની સહકારી સંસ્થાઓ અને બોડીઓને પત્ર લખીને જાણ સાથે આદેશ કર્યો હતો કે, તેમની સંસ્થાઓમાં આઉટસોર્સિંગથી કામ કરતાં કર્મચારીઓને સામાજિક છત્ર મળી રહે તે માટે તેમને, 'કામદાર ભવિષ્યનિધિ' અને 'પરચૂરણ જોગવાઈઓના' કાયદા હેઠળ આવરી લેવા. એટલું જ નહીં પરંતુ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે પણ 'સામાજિક સુરક્ષા'ને માનવીય અધિકાર તરીકે ગણ્યું છે. આથી આવા પ્રકારના કર્મચારીઓ પણ કોન્ટ્રીબ્યૂટરી પ્રોવિડન્ડ ફંડ અથવા ઓલ્ડ એઈજ પેન્શનનો લાભ મેળવવાની પાત્રતા ધરાવે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -