કોંગ્રેસે લુણાવાડામાં વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપી ક્યા રાષ્ટ્રીય નેતાના જમાઈને આપી ટિકિટ ? જાણો વિગત
કોંગ્રેસે ધાનેરા બેઠક પરથી જોઈતાભાઈ પટેલની ટિકિટ કાપી દીધી છે. જોઈતાભાઈ પટેલને બદલે આંજણા ચૌધરી સમાજના નાથાભાઈ પટેલને ટિકિટ અપાઈ છે.
આ ઉપરાંત લુણાવાડા બેઠક પરથી કોંગ્રેસના ધુરંધર નેતા દિગ્વિજયસિંહના જમાઈ પરાંજયાદિત્યસિંહ પરમારને ટિકિટ આપી છે. કોંગ્રેસે લુણાવાડામાંથી હીરાભાઈ પટેલની ટિકિટ કાપી છે.
અમદાવાદઃ કોંગ્રેસે અગાઉથી નક્કી કરેલી રણનીતિ પ્રમાણે છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર કરી તેમાં કોંગ્રેસે તેના ચાર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નથી આપી. જો કે આ ચાર પૈકી એક બેઠક પરથી ધારાસભ્યોના પુત્રોને ટિકિટ આપી છે.
કોંગ્રેસે મહુધાથી નટવરસિંહ ઠાકોરની ટિકિટ પણ કાપી છે. છેલ્લી છ ટર્મથી ચૂંટાતા નટવરસિંહ ઠાકોરના બદલે તેમના પુત્ર ઈન્દ્રવિજયસિંહ ઠાકોરને ટિકિટ આપી છે.
કોંગ્રેસે કાંકરેજમાંથી ધારશી ખાનપુરાને ટિકિટ નથી આપી. ધાનશી ખાનપુરાને બદલે કોંગ્રેસે દિનેશ ઝાલેરાને ટિકિટ આપી છે.