હાર્દિક પટેલ ફસકી ગયોઃ અમદાવાદનું સંમેલન રદ, જાણો શું આપ્યું કારણ?
શનિવારના પાટીદાર સંમેલન માટે દરેક ગામમાંથી 5-5 કાર્યકરોને બોલાવાયા હતા અને અનામત આંદોલન માટે હવે શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવાની હતી પરંતુ આ સંમેલન હવે રદ્દ કરાયુ છે. વસોયાએ જણાવ્યું કે, આજે અમદાવાદ ખાતે પાસના કાર્યકરોની મીટીંગમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
તેમણે ઉમેર્યું કે, હાર્દિક પટેલે રાજ્ય સરકારને પત્ર પાઠવીને અનામત આંદોલન મુદ્દે ચર્ચા વિચારણા કરવા અને વિવિધ માંગણીઓ પૂર્ણ કરવા બેઠક માટે સમય માગ્યો છે પરંતુ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા તેમનો જવાબ આપવામાં આવ્યો નથી. સરકારનું વલણ નિરાશાજનક હોવાનો સૂર તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે ઉમેર્યું કે, સરાકર દ્વારા દબાણો કરીને ટ્રાવેલ્સની બસોને જે તે જગ્યાએ રોકી દેવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં જો કાર્યકર્તા સંમેલન યોજવામાં આવે તો તોફાનો ફાટી નીકળવાની પૂરેપૂરી શકયતા હોવાથી ક્રાંતિકારી કાર્યકર સંમેલન સંમેલન રદ્દ કરવામાં આવ્યુ છે.
પાસના સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયાએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે, અમદાવાદ ખાતે યોજાનારા ક્રાંતિકારી કાર્યકર સંમેલન માટે રાજ્ય સરકાર દ્વારા જગ્યાની મંજૂરી નથી મળી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પાટીદારો આવવાના હતા તે ટ્રાવેલ્સ એજન્સીના ધંધાર્થીઓને પણ ઉપરથી દબાણ કરવામાં આવી રહ્યુ છે.
અમદાવાદઃપાટીદાર અનામત આંદોલનને વેગવંતુ કરવાના આશયથી 5 ઓગસ્ટ ને શનિવારે અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના પાટીદાર સમાજના કાર્યકરોનું સંમેલન પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિમાં યોજાવાનું હતું પરંતુ આ સંમેલન રદ્દ કરવામાં આવ્યુ છે.
હાર્દિક પટેલે હજુ ગુરૂવારે જ હુંકાર કર્યો હતો કે, ક્રાંતિકારી કાર્યકર સંમેલન આન, બાન, શાનથી યોજાશે અને તેને કોઈ રોકી શકશે નહીં. આ સંમેલનમાં 50 હજાર કાર્યકરો ઉમટશે તેવો દાવો પણ તેણે કર્યો હતો. આ નિવેદનના 24 કલાકમાં જ હાર્દિક પટેલ પાણીમાં બેઠો છે ને સંમેસન રદ કરી દીધું છે.