✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતમાં ટુ વ્હીલર સહિત તમામ વાહનોના માલિકો માટે નવો ફતવો, શું થશે તેની અસર, થશે કેટલો દંડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Oct 2016 11:08 AM (IST)
1

રાજયમાં 4.43 લાખ ઉપરાંતની તૈયાર કરાયેલી નંબર પ્લેટ પડી રહી છે. જાન્યુઆરી-17થી જે વાહન પર હાઇસિક્યોરિટી પ્લેટ નહીં લાગી હોય તેને રૂ.500 સુધીનો દંડ કરવા રાજ્ય સરકારનો નિર્ણય કર્યો હતો. હાઇસિક્યોરિટી નંબર પ્લેટ વગરના ટુ-વ્હીલરના રૂ. 100, થ્રી વ્હીલરના રૂ. 200, લાઇટ મોટર વ્હીકલના રૂ. 300 અને અન્ય વાહનો માટે રૂ. 500 સુધીનો દંડ ફટકારાશે.

2

આરટીઓ અને ટ્રાફિક વિભાગની બેદરકારીના કારણે જૂના અને કેટલાક નવા વાહનોમાં પણ વાહન ચાલકો નંબર પ્લેટ ફીટ કરાવતા નથી. અમદાવાદની સુભાષબ્રિજ આરટીઓમાં જ ટુવ્હીલરની 21 અને ફોર વ્હીલરની 12 જેટલી સિરીઝના વાહનોની નંબર પ્લેટો તૈયાર હોવા છતાં કોઇ વાહન ચાલક પ્લેટ ફીટ કરાવવા આવતા ન હોવાની ફરિયાદ ઉઠી છે.

3

વાહન વ્યવહાર વિભાગની ઉચ્ચ કક્ષાની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, સરકારે એક ઠરાવ પસાર કરીને આ સુચના દરેક સંબંધિત વિભાગોને પાઠવી દીધી છે. જાન્યુઆરી, 2017થી રાજ્યના તમામ વાહન ડિલર્સને ડીમ્ડ આરટીઓ ગણવામાં આવશે અને તેમણે જ પોતાને ત્યાંથી વેચાણ બાદ બહાર નીકળતા વાહનોને હાઇસિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેસ્ટ્સ લગાવીને જ ગ્રાહકોને આપવાના રહેશે.

4

અમદાવાદઃ સરકારે આગામી છ મહિનામાં રાજ્યમાં ફરતા તમામ નવા અને જૂના વાહનો પર હાઇસિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેસ્ટ્સ લગાવી દેવાનો સરકારે આદેશ આપ્યો છે. આ માટે તમામ વાહન ચાલક અને આરટીઓ બંનેએ સજાગ રહેવું પડશે. છ મહિના પછી એચએસઆરપી વિનાના વાહન ચાલકોને રૂ. 100થી રૂ. 500 સુધીનો દંડ કરવાની પણ સરકારે તાકીદ કરી છે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતમાં ટુ વ્હીલર સહિત તમામ વાહનોના માલિકો માટે નવો ફતવો, શું થશે તેની અસર, થશે કેટલો દંડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.