Angarak Yog: આ એક  રાશિના લોકો માટે 10 ઓગસ્ટનો દિવસ ખાસ રહેવાનો છે. આ દિવસે આ રાશિના લોકોને અંગારક યોગથી મુક્તિ મળશે.


મેષ રાશિના લોકો માટે 10 ઓગસ્ટનો દિવસ ખાસ રહેવાનો છે. આ દિવસે મેષ રાશિના લોકોને અંગારક યોગથી મુક્તિ મળશે.


અંગારક યોગ એ અશુભ અને ખતરનાક યોગોમાંથી એક છે જેનું જ્યોતિષશાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આ યોગ મેષ રાશિમાં હતો.  તેના ફળ સારા માનવામાં આવતા નથી. પરંતુ હવે મેષ રાશિના લોકોને આ ખતરનાક યોગમાંથી થોડા જ કલાકોમાં મુક્તિ મળી જશે. જ્યોતિષ શાસ્ત્રમાં આ યોગને અશુભ ફળ આપનાર માનવામાં આવે છે. આ યોગના કારણે ક્યારેક વ્યક્તિ મોટા વિવાદોમાં પણ ફસાઈ જાય છે.


અંગારક યોગમાં શું થાય છે?


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અશુભ ગ્રહો રાહુ અને મંગળ સંયોગમાં હોય ત્યારે અંગારક યોગ બને છે. કારણ કે તે આ સમયે મેષ રાશિમાં રહે છે. જ્યાં રાહુને મૂંઝવણનું કારણ માનવામાં આવે છે. બીજી તરફ મંગળને ક્રોધ, હિંમત, યુદ્ધ, રક્ત વગેરેનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે આ યોગ બને છે ત્યારે વ્યક્તિના સંબંધો બગડી જાય છે. ઈજા થવાનો ભય રહે છે. નજીકના સંબંધીઓ, ભાઈ-બહેનો સાથેના સંબંધો પર અસર થવા લાગે છે. કેટલાક કિસ્સાઓમાં, આ યોગ શુભ ફળ આપનાર પણ માનવામાં આવે છે.


મેષ રાશિના લોકોને અંગારક યોગમાંથી ક્યારે છુટકારો મળશે?


પંચાંગ અનુસાર મંગળનો મેષ રાશિમાં પ્રવેશ 27 જૂન, 2022ના રોજ થયો હતો, હવે મંગળ મેષ રાશિમાં પોતાની યાત્રા પૂર્ણ કરશે અને વૃષભ રાશિમાં ગોચર  કરશે. જ્યોતિષીય ગણતરી મુજબ મંગળ 10 ઓગસ્ટ, 2022 ના રોજ રાત્રે 9:32 કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જે બાદ મેષ રાશિના લોકોને આ ખતરનાક યોગથી સંપૂર્ણ મુક્તિ મળશે.


Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.