Dhanteras 2024: ધનતેરસનો તહેવાર ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ દિવસે ઘણી એવી વસ્તુઓ છે જેને ખરીદીને ઘરે લાવવામાં આવે તો તમારા સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે.


વર્ષ 2024 માં, ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબર, 2024 ને મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસનું પર્વ  કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવશે. આ દિવસને ધનત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સમુદ્ર મંથન સમયે ભગવાન ધન્વંતરી પોતાના હાથમાં અમૃતના વાસણ સાથે પ્રગટ થયા હતા. એટલા માટે આ દિવસે સોનાની ખરીદી કરવામાં આવે છે.


ધનતેરસ પર શું ખરદીવું રહેશે શુભ


ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી શુભ માનવામાં આવે છે.


ધનતેરસના તહેવાર પર સાવરણી ખરીદવી શુભ હોય છે.


આ દિવસે મીઠું ખરીદવું શુભ છે.


આ દિવસે 5 સોપારી ઘરે લાવવી શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને સોપારી ચઢાવવામાં આવે છે.


ધનતેરસના દિવસે ધાણા ખરીદવું શુભ છે. ધાણા અથવા  કોથમીરને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. એટલા માટે તેને ધનતેરસ પર ખરીદો.


ધનતેરસના દિવસે ઘરમાં લક્ષ્મી ચરણ લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, આ દિવસે લક્ષ્મી ચરણને ઘરમાં લાવવું એ દેવી લક્ષ્મીનું આહ્વાન માનવામાં આવે છે અને આ દિવસે દેવી લક્ષ્મીના ચરણ ઘરમાં લાવવું એ આમંત્રણ સમાન છે.


આ દિવસે તમે દિવાળીની પૂજા માટે લક્ષ્મી-ગણેશની મૂર્તિ ખરીદી શકો છો. ધનતેરસનો દિવસ મૂર્તિઓ ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. એટલા માટે ધનતેરસ પર લક્ષ્મી-ગણેશની મૂર્તિ ઘરે લાવવી શુભ હોય છે.


ધનતેરસના દિવસે આ બધી વસ્તુઓ તમારા ઘરે લાવો. આ બધી વસ્તુઓ ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં પૈસા અને અનાજની કોઈ કમી નથી રહેતી.                                        


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો