Dhanteras 2025:દિવાળીના દિવસે અચાનક દેખાતી વસ્તુઓનો સંબંધ શુકન અને અપશુકન સાથે હોય છે.  આ દિવસે આ વસ્તુઓને દેખાવી જીવનમાં થનાર કઇ શુભ ઘટના  સંકેત છે. જાણીએ

Continues below advertisement

દિવાળી પર જોવા મળતી કેટલીક વસ્તુઓ શુભ અશુભના  સંકેત આપી શકે છે. શકુન શાસ્ત્ર અનુસાર આ કઈ વસ્તુઓ છે, જેને જોવું શુભ મનાય છે.

પંડિત સુરેશ શ્રીમાળીના જણાવ્યાં અનુસાર, ગરોળી ઘરની દિવાલો પર દરરોજ દેખાશે, પરંતુ ધનતેરસથી ભાઈ દૂજ સુધીના પાંચ દિવસ દરમિયાન તે અદ્રશ્ય દેખાય તો  તેને શુભ માનવામાં આવે છે. જે ઘરમાં ધનતેરસ કે દિવાળીની રાત્રે ગરોળી દેખાય તો તેને મહાલક્ષ્મીના આગમનનો સંકેત  છે. ગરોળીને જોવાથી તમને આખા વર્ષ દરમિયાન પૈસા સંબંધિત પરેશાનીઓમાંથી મુક્તિ મળશે અને જીવનની તમામ સમસ્યાઓ દૂર થવા લાગશે.

Continues below advertisement

ઇચ્છાપૂર્તિ માટે આટલું કરો

જો લક્ષ્મી પૂજા બાદ હાથમાં ચોખા લઇને લક્ષ્મીના ચરણમાં મૂકતા જાવ અને આ મંત્રોનો જાણ કરો  'ઓમ મહાલક્ષ્માય નમઃ'આ મંત્ર બોલતા – બોલતા કામના પૂર્તિની પ્રાર્થના કરો.  આ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

લક્ષ્મીજીના ઉપાય

પૂજા કર્યા પછી લક્ષ્મીજીને અર્પણ કરેલ  કુમકુમ અને ચોખાને લાલ કપડામાં મૂકીને ત્રણ ગાંઠો નાખીને પોતાની તિજોરીમાં રાખો. અને પુષ્ય નક્ષત્ર આવે ત્યારે અગરબત્તી બતાવીને તેમની પૂજા કરો. આમ કરવાથી તમે મહાલક્ષ્મીજીને પ્રસન્ન કરશો અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.

આપણા દેશમાં આવી ઘણી માન્યતાઓ છે જે ચોક્કસ સમય માટે છે. જો સામાન્ય દિવસોમાં બિલાડી દૂધ પીવા આપના  રસોડામાંથી દૂર જાય છે, તો તમે તેને ઘરમાં પ્રવેશવા દેતા નથી. પરંતુ દિવાળીમાં જો કોઈ બિલાડી તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં રાખેલ દૂધ પી લે છે, તો તે દેવી લક્ષ્મીના આગમનનો સંકેત છે.

ઘુવડના સંકેતો

મહાલક્ષ્મીનું પ્રિય વાહન ઘુવડ. જો તમે દિવાળીના દિવસે કે રાત્રે પૂર્વ દિશામાંથી બોલતું ઘૂવડ જુઓ તો તે પણ શુભ સંકેત છે. આ ઘટના એવા સંકેત આપે છે કે,  આખા વર્ષ દરમિયાન ઘરમાં ધન-ધાન્યનો વરસાદ થશે.

તમે તમારા ઘરોમાં પણ છછુંદર જોયા જ હશે, તે દેખાવમાં ઉંદરો જેવા હોય છે. એવું માનવામાં આવે છે કે, તેમને ઘરમાં જોવું ખૂબ જ શુભ સંકેત છે. આવા ઘણા ઘર છે જ્યાં છંછુદર બધાને પરેશાન કરે છે  પરંતુ, એવી પણ માન્યતા છે કે, દિવાળીના દિવસે જો તમને છછુંદર દેખાય છે તો તમને ધનનો લાભ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

ગાયનું શુકન

હિન્દુ ધર્મમાં ગાયને માતા સમાન માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય ભગવા રંગની ગાય જોઈ છે. કદાચ તમે નહીં જાણતા હોવ કે શકુન શાસ્ત્રમાં કેસર ગાયને દિવ્યતાનું પ્રતિક માનવામાં આવે છે અને જો તે દીપાવલી પર જોવામાં આવે તો તે સમૃદ્ધિનો સંકેત આપે છે.

Disclaimer:અહીં આપેલી સૂચના માત્ર માન્યતા અને માહિતી પર આધારિત છે. અહીં એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા જાણકારીની પુષ્ટી કરતું નથી. કોઇપણ માન્યતા  કે જાણકારીને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લો.