Dhanteras 2024: ધનતેરસ પર શું ખરીદવું જોઈએ? ધનતેરસનો તહેવાર ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મી અને ધનના દેવતા કુબેરની પૂજાનો વિશેષ અવસર છે. આ દિવસે સોનું ચાંદી ખરીદવું શુભ માનવામાં આવે છે, પરંતુ જો તમે આ વખતે સોનું ચાંદી નથી ખરીદી શકતા, તો ચિંતા ના કરો. ઘણી અન્ય શુભ વસ્તુઓ છે, જેને ખરીદવાથી પણ તમને સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે.


ધનતેરસ પૂજા શુભ મુહૂર્ત 2024


ધનતેરસ માટે 29 ઓક્ટોબરના રોજ ગોધૂલી કાળ સાંજે 6:31થી રાત્રે 8:31 સુધી રહેશે. એટલે કે ધનતેરસની પૂજા માટે 1 કલાક 42 મિનિટનો સમય રહેશે.



  1. પાનનાં પત્તા


પાનનાં પાંચ પાન જરૂર ખરીદો. માનવામાં આવે છે કે પાનનાં પાન માં લક્ષ્મીને પ્રસન્ન કરે છે. તમે તેને પૂજા દરમિયાન અર્પણ કરી શકો છો.



  1. ધાણા


ધનતેરસ પર ધાણા ખરીદવા પણ શુભ માનવામાં આવ્યા છે. તમે થોડા ધાણા માં લક્ષ્મીને અર્પણ કરો અને થોડા ધાણા તમારા ધનના સ્થાન પર છાંટો.



  1. મૂર્તિ ખરીદો


ઘરમાં ધનની દેવી માં લક્ષ્મી અને શુભ લાભના દેવતા ગણેશજીની મૂર્તિ લાવવાનું ના ભૂલશો. શુભ મુહૂર્તમાં તેમની પૂજા કરો.



  1. વાસણ


નવા વાસણ ખરીદવા પણ આ દિવસનો એક મહત્વપૂર્ણ ભાગ છે. સાંજની પૂજા સમયે આ વાસણોની પૂજા કરો અને માં લક્ષ્મીનો આશીર્વાદ લો.



  1. ઝાડુ


ધનતેરસ પર ઝાડુ ઘરમાં લાવવું શુભ હોય છે. તેને માં લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તે માત્ર ઘરની સફાઈમાં મદદ કરતું નથી, પરંતુ ધન અને સમૃદ્ધિ પણ લાવે છે.



  1. ગોમતી ચક્ર


પૂજામાં વપરાતા ગોમતી ચક્ર ખરીદવા પણ શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ નકારાત્મક ઊર્જાથી રક્ષણ કરવા અને સુખ સમૃદ્ધિ લાવવાનું પ્રતીક છે.



  1. હળદર


ધનતેરસ પર હળદર ખરીદવી શુભ માનવામાં આવે છે, કારણ કે તે માં લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હળદરનો ઉપયોગ માત્ર ધાર્મિક વિધિઓમાં જ નહીં, પરંતુ સ્વાસ્થ્ય લાભ માટે પણ કરવામાં આવે છે.


ધનતેરસ પર ખરીદીનું મહત્વ


ધનતેરસનો તહેવાર માત્ર સોનું ચાંદી સુધી સીમિત નથી. શુભ વસ્તુઓની ખરીદી કરવાથી પણ ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્યનું આગમન થાય છે. આ વખતે જો સોનું ચાંદી નથી ખરીદી શકતા, તો આ વિકલ્પો પર ધ્યાન આપો અને માં લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરો.


આ પણ વાંચોઃ


એક મહિના સુધી દરરોજ વિટામિન B12 દવા ખાવાથી શરીરમાં શું થશે?