શનિદેવ વરસાવી રહ્યા છે કૃપા, આળસ છોડીને લાગી જાવ લક્ષ્યને હાંસલ કરવા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Feb 2021 01:51 PM (IST)
શનિની પ્રબળતાથી તમામ રાશિના જાતકોને ફાયદો થશે. શનિની આનંદકારક સ્થિતિ દરેકને આશીર્વાદ આપવા જઇ રહી છે.
જ્યોતિષીય સૌરમંડળની ગણતરી મુજબ શનિ ગ્રહની રાશિ મકર અને કુંભમાં સૂર્ય, શુક્ર અને બુધ સહિત ગુરુ ભ્રમણ કરી રહ્યા છે. શનિદેવ પોતે શ્રવણ નક્ષત્રમાં મકર રાશિમાં સંક્રમણ કરી રહ્યા છે. આ સ્થિતિ શનિદેવના પ્રભાવમાં વધારો કરી રહી છે. બળવાન શનિ દરેકને આશીર્વાદ આપે છે. 14 માર્ચની સાંજ સુધી સૂર્ય કુંભમાં રહેશે. શુક્ર 16-17 માર્ચની રાત્રે મીન રાશિમાં પ્રવેશ કરશે. લગભગ એક મહિના સુધી શનિ સૂર્યમંડળનો સૌથી પ્રભાવશાળી ગ્રહ રહેશે. શનિની પ્રબળતાથી તમામ રાશિના જાતકોને ફાયદો થશે. શનિની આનંદકારક સ્થિતિ દરેકને આશીર્વાદ આપવા જઇ રહી છે. તેથી શનિદેવની કૃપા મેળવવા સૂર્યોદય પહેલાં ઉઠવાની ટેવ પાડો. શનિ ધીરે ધીરે ફરતા ગ્રહ છે, પરંતુ જેઓ કામ ટાળે છે અથવા આળસ કરે છે તેનાથી તે નાખુશ થાય છે. કુંભ રાશિને હવાના તત્વની નિશાની માનવામાં આવે છે. આમાં સૂર્ય, શુક્ર અને બુધનો સંક્રમણ વૈચારિક પ્રવૃત્તિઓને ગતિ આપશે. ઉત્તમ વિચારોની આપ-લે વધશે. આસ્થા, વિશ્વાસ અને ધર્માનુષ્ઠાનમાં વધારો થશે. વર્તમાન ગોચરમાં ભાગ્યના દેવતા શનિદેવની પ્રસન્નતા તમામ જાતકો પર લગભગ એક સમાન રહેશે.