Surya Upasana: આ મંત્રથી કરો સૂર્યદેવનું ધ્યાન, ફટાફટ થવા લાગશે તમારા કામ....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Feb 2021 01:16 PM (IST)
સૂર્યના ધ્યાન મંત્ર માટે સૂર્યોદયના પ્રથમ કલાકમાં ધ્યાનમાં બેસવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.
(તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
ધ્યાન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ધ્યાન સૂર્યની આધ્યાત્મિક શક્તિમાં વધારો કરે છે અને જવાબદારીની ભાવનામાં વધારો કરે છે. સૂર્યના ધ્યાન મંત્ર માટે સૂર્યોદયના પ્રથમ કલાકમાં ધ્યાનમાં બેસવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક ઘડીમાં 24 મિનિટ છે. સરળ મુદ્રામાં અને પદ્મસનમાં બેસીને સૂર્ય ધ્યાન મંત્રનો પાઠ કરવાથી અનેક બીમારીઓ દૂર થાય છે. કુંડળીને શક્તિને બળ મળે છે આ મંત્ર સાથે સૂર્યદેવનું ધ્યાન કરવું જોઈએ.... पद्मासनः पद्मकरः पद्मगर्भः समद्युतिः। सप्तश्चः सप्तज्जुश्च द्विभुजः स्यात् सदारविः।। ઉત્તરાયણ સૂર્યમાં સ્નાન દાન અને ધ્યાનનું વિશેષ મહત્વ છે. સૂર્યાપાસનાથી કાયદાકિય મામલામાં સફળતા મળે છે. પ્રમોશન તથા અન્ય પ્રશાસન સંબંધી લાભ લેવા માંગતા લોકો સૂર્ય ધ્યાન કરી શકે છે. સૂર્ય અગ્નિનનો કારક છે. સૂકો મેવો, નારિયળ, મિસરી વગરે સૂર્યદેવન અર્પિત કરો. સૂર્યને અંજલિ આપતી વખતે આ મંત્રનો ઉપયોગ કરી શકાય છે. સૂર્યાપસાનાનો આરંભ રવિવારથી કરવો જોઈએ. મેષ, સિંહ, ધન રાશિના જાતકોને સૂર્ય ધ્યાનથી વધારે લાભ થાય છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં પણ સૂર્ય પ્રભાવકારી છે. પૈતૃક મામલામાં સફળતા અપાવનારો છે. સૂર્ય ઉપાસકોમાં પિતા પ્રત્યે વિશેષ આદરભાવ હોય છે. તડકામાં ધ્યાન કરવાથી સારા પરિણામ મળે છે.