Narak Chaturdashi 2022 Puja: આસો વદ તેરસ એટલે કે ધનતેરસથી દીપાવલીનો 5 દિવસનો તહેવાર શરૂ થાય છે. નરક ચતુર્દશી દિવાળીના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે જેને નરક ચૌદશ, રૂપ ચૌદશ અને કાળી ચૌદશ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રી કૃષ્ણ, મા કાલી અને યમરાજની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ નરક ચતુર્દશી અથવા કાળી ચૌદશના આ દિવસે તિથિ, મુહૂર્ત અને શું કરવું


નરક ચતુર્દશી 2022 મુહૂર્ત


હિંદુ કેલેન્ડર મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તારીખ 23 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 06:03 વાગ્યાથી શરૂ થશે. નરક ચતુર્દશી તિથિ 24 ઓક્ટોબર 2022 ના રોજ સાંજે 05:27 વાગ્યે સમાપ્ત થશે. આ વર્ષે નરક ચતુર્દશી અને દિવાળી એક જ દિવસે 24 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવશે.


અભ્યંગ સ્નાન મુહૂર્ત - 05:08 am - 06:31 am (24 ઓક્ટોબર 2022)


સમયગાળો - 01 કલાક 23 મિનિટ


કાલી ચૌદશ 2022 તારીખ અને સમય


કાળી ચૌદશ પણ કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે. આમાં, મા કાલીનાં ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે મધ્યરાત્રિએ પ્રાર્થના કરે છે, કારણ કે કાલી પૂજા રાત્રે કરવામાં આવે છે, તિથિ અનુસાર, આ વર્ષે કાળી ચૌદશ 23 ઓક્ટોબર 2022 ના રોજ છે.


કાલી ચૌદશ મુહૂર્ત - 23 ઓક્ટોબર 2022, 11:42 pm - 24 ઓક્ટોબર 2022, 12:33 am


નરક ચતુર્દશી પર શું કરવું (Narak Chaturdashi Yamraj Deep Daan)


નરક ચતુર્દશીના દિવસે સવારે શુભ મુહૂર્તમાં સ્નાન કરવાની પરંપરા છે. દંતકથા અનુસાર, આ દિવસે શ્રી કૃષ્ણએ નરકાસુરનો વધ કર્યો હતો, તેથી આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે છે.


સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો. આ દિવસે ખાસ યમરાજ માટે લોટનો ચારમુખી દીવો બનાવી તેલનો દીવો પ્રગટાવવામાં આવે છે.


નરક ચતુર્દશીના દિવસે સાંજે, આંગણામાં દક્ષિણ દિશા તરફ મુખ કરીને મૃત્યુનામ દંડપાશભયમ્ કાલેન શ્યામયા સહ. 'ત્રયોદશ્ય દીપદાનત સૂર્યજઃ પ્રિયતમ મમ' મંત્રનો જાપ કરો અને આ દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આના કારણે અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.


Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.