Diwali 2024: દિવાળી એ હિંદુઓના મુખ્ય તહેવારોમાંનો એક છે, જે કાર્તિક અમાવસ્યા પર ઉજવવામાં આવે છે. આ દિવસે લક્ષ્મી-ગણેશ પૂજાની પરંપરા છે. આવી સ્થિતિમાં તમે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરી શકો છો. આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.


આ કામ ચોક્કસપણે કરો


દિવાળીના દિવસે ઘરને શણગારવામાં આવે છે અને વિવિધ પ્રકારનો પ્રસાદ ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં દિવાળીના શુભ અવસર પર તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર આસોપાલવના પાંદડાથી બનેલું તોરણ લગાવવું જોઇએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે.


આ વસ્તુઓનું દાન કરો


દિવાળીના દિવસે કોઇ મંદિરમાં સાવરણી અથવા સુગંધિત અગરબત્તીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી ઘરમાંથી દ્રરિદ્રતા દૂર થાય છે અને સાધકને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ સાથે આ દિવસે સાવરણી ખરીદવી અને તેને ઘરે લાવવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે.


દેવી લક્ષ્મી પ્રસન્ન થશે


દિવાળીના દિવસે લોખંડના વાસણમાં પાણી, ઘી, ખાંડ અને દૂધ મિક્સ કરીને પીપળના ઝાડને અર્પણ કરો. તેની સાથે પાંચ પ્રકારની મીઠાઈઓ ચઢાવો અને ઘીનો દીવો પણ પ્રગટાવો. હવે તમારા હાથ જોડીને પીપળના ઝાડની 11 વાર પરિક્રમા કરો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. સાથે જ આ ઉપાયથી વ્યક્તિને દેવાની સમસ્યામાંથી પણ રાહત મળી શકે છે.                            


નાણાકીય કટોકટી દૂર થશે


દિવાળીના દિવસે એક માટીનું વાસણ લો, તેને લાલ રંગ કરો અને નાડાછડી બાંધો. ત્યાર બાદ તેના પર એક નારિયેળ મુકો અને તેને વહેતા પાણીમાં તરતું રાખો. આ સમય દરમિયાન તમારા મનની ઇચ્છાઓ કહો. એવું કહેવાય છે કે દિવાળી પર આવું કરવાથી તમારા ઘરમાં ધનની દેવીનો વાસ થાય છે, જેના કારણે સાધકને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.                           


Dhanteras 2024 Upay: ધનતેરસના શુભ અવસરે આ એક સિદ્ધ ઉપાય કરી જુઓ, થશે ધન વર્ષા