Lord Shiva Mantra: સોમવારે ભોળાનાથની પૂજા સંપૂર્ણ વિધિથી કરવામાં આવે છે. આ દિવસે ભક્તો ભગવાન શિવની સાચા મનથી પૂજા કરે છે. એવું કહેવાય છે કે ભોળાનાથ ભક્તો પર સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. સોમવારે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.  પુરાણો અનુસાર શિવલિંગ પર શ્રદ્ધા રાખીને ચઢાવવામાં આવેલું જળ અને બિલીપત્રથી મહાદેવ ખુશ થાય છે. અમુક મંત્રોના જાપ કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. ચાલો જાણીએ શિવના આ ખાસ મંત્રો વિશે.


શિવનો પંચાક્ષરી મંત્ર


ॐ नम: शिवाय


આ મંત્રને પંચાક્ષરી મંત્ર અથવા ભગવાન શિવનો મૂળ મંત્ર કહેવામાં આવે છે. જે કોઈ પણ ભક્ત આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરે છે તેને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે છે. શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી પણ વ્યક્તિ મોક્ષની પ્રાપ્તિ કરે છે. જેના કારણે વ્યક્તિની અંદર હિંમતનો સંચાર થાય છે.


શિવ ગાયત્રી મંત્ર


ॐ तत्पुरुषाय विद्महे, महादेवाय धीमहि, तन्नो रूद्र प्रचोदयात्


શિવ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી ભક્તોને સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. આ મંત્રનો જાપ કરવાથી પાપોનો નાશ થાય છે, માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિમાં સકારાત્મક ઉર્જા આવે છે. પૂજામાં આ મંત્રનો જાપ કરવાથી શિવ ઝડપથી પ્રસન્ન થાય છે.


મહામૃત્યુંજય મંત્ર


ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्


उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥ 


ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે. જો કોઈની કુંડળીમાં અકાળ મૃત્યુનો સંયોગ હોય તો તેણે મહામૃત્યુંજયનો જાપ અવશ્ય કરવો. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી દરેક પ્રકારના રોગ, દોષ અને સમસ્યાઓનો અંત આવે છે.


લઘુ મહામૃત્યુંજય મંત્ર


 ॐ हौं जूं सः


જે લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકતા નથી, તેમણે ટૂંકા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો વધુ સારું છે. રાત્રે આ મંત્રનો જાપ કરવાથી તમામ અસાધ્ય રોગો દૂર થાય છે. લઘુ મહામૃત્યુંજય મંત્ર ભક્તોની તમામ સમસ્યાઓ દૂર કરે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.