Diwali 2025: દિવાળીનું પર્વ ધન, સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો નવી વસ્તુઓ ખરીદે છે, પોતાના ઘરોને શણગારે છે અને શુભ પરિણામો માટે ખાસ રત્નો પહેરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દિવાળી પર દરેક રત્ન પહેરવાનું શુભ માનવામાં આવતું નથી.

Continues below advertisement

રત્નશાસ્ત્ર એમ પણ કહે છે કે, દિવાળી પર કેટલાક રત્ન પહેરવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. આનાથી અચાનક નાણાકીય નુકસાન, માનસિક તણાવ અને સંબંધોમાં ખટાશ આવી શકે છે. ચાલો જાણીએ કે દિવાળી પર કયા રત્નો પહેરવા અશુભ માનવામાં આવે છે.

દિવાળી પર કયા રત્નો પહેરવા અશુભ છે?

Continues below advertisement

દિવાળી પર વાદળી નીલમ, ગોમેદ, લહસુનિયા.  રત્નો પહેરવા અશુભ માનવામાં આવે છે.                 

ગોમેદના અશુભ પ્રભાવો

ગોમેદને રાહુના રત્ન તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં રાહુ મૂંઝવણ, માનસિક અસંતુલન અને અસ્થિરતાનું પ્રતીક છે. દિવાળી પર, દેવી લક્ષ્મીની પૂજા અને આહ્વાન કરવામાં આવે છે, તેથી રાહુ રત્ન પહેરવાથી પ્રતિકૂળ અસરો થઈ શકે છે.આ દિવસે ગોમેદ પહેરવાથી મૂંઝવણ, આળસ અને સંઘર્ષ વધી શકે છે.

લહસુનિયા રત્નોનો  અશુભ પ્રભાવો

જ્યોતિષશાસ્ત્રમાં,  લહસુનિયાને કેતુનો રત્ન માનવામાં આવે છે. કેતુને તપસ્યા અને ત્યાગનું પ્રતીક પણ માનવામાં આવે છે. દિવાળીને આધ્યાત્મિકતા તેમજ ભૌતિક સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. તેથી, ભૂલથી પણ દિવાળી પર  લહસુનિયાને રત્ન પહેરવાનું ટાળવું જોઈએ. જે લોકો  નાણાકિય પ્રગતિ ઇચ્છે છે તેને ભૂલથી પણ આ રત્ન ધારણ ન કરવું જોઇએ.

દિવાળીના દિવસે નીલમ રત્નના અશુભ પ્રભાવો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દિવાળી પર શુક્ર અને ગુરુ ગ્રહની ઉર્જા સક્રિય થાય છે. રત્ન શાસ્ત્ર અનુસાર, નીલમ ભારે અને ધીમા સ્પંદનોથી ભરેલો માનવામાં આવે છે. દિવાળી પર વાદળી નીલમ પહેરવાથી શુક્રની ઉર્જા પર અસર પડે છે, જેના કારણે તણાવ, નાણાકીય મુશ્કેલીઓ અને માનસિક દબાણ વધી શકે છે.

દિવાળી પર કયો રત્ન પહેરવો શુભ છે?

જો તમારે દિવાળી પર રત્ન પહેરવા ઇચ્છતા હો તો તમે પીળો નીલમ, ડાયમંડ, ઓપલ અથવા રૂબી પહેરી શકો છો. ત્રણેય રત્નો ધન, સૌભાગ્ય અને આત્મવિશ્વાસ વધારે છે.