Hanuman Jayanti 2025: 12મી એપ્રિલે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે. આ દિવસે હનુમાનજીની પૂજા કરવાની સાથે હનુમાન ચાલીસાનો પાઠ કરનારાઓએ પણ કેટલાક ઉપાયો અપનાવવા જોઈએ. આ ઉપાયોનું પાલન કરવાથી ભક્તો પર હનુમાનજીની કૃપા વરસે છે.

Continues below advertisement


 હનુમાન જયંતિનો દિવસ હનુમાનજીના ભક્તો માટે ખૂબ જ ખાસ હોય છે. વર્ષ 2025માં હનુમાન જયંતિનો પવિત્ર તહેવાર 12મી એપ્રિલે ઉજવવામાં આવશે.  હનુમાનજીને પ્રસન્ન કરવા માટે, ઘણા લોકો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, જ્યારે કેટલાક લોકો મંગળવાર અને શનિવારે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. આવી સ્થિતિમાં જે લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમણે હનુમાન જયંતિ પર કેટલાક ખાસ કામ કરવા જોઈએ. આજે અમે તમને આ કાર્યો વિશે માહિતી આપીશું.


શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન આપનાર હનુમાનજીના કરોડો ભક્તો છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ પર હનુમાનજીના આશીર્વાદ વરસે છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ પણ કરે છે. જે લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમણે હનુમાન જયંતિના દિવસે નીચે મુજબના કાર્યો કરવા જોઈએ.


આ કામ હનુમાન જયંતિના દિવસે કરો


હનુમાનજીના ભક્તોએ હનુમાન જયંતિના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન અને ધ્યાન કર્યા પછી લાલ કે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ. આ પછી વિધિ-વિધાન પ્રમાણે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવો. લાલ ફૂલ, ફળ, મીઠાઈ વગેરે પણ ચઢાવો.


હનુમાનજીના મંત્રોનો જાપ કરવો


હનુમાન જયંતિના દિવસે એકાંત સ્થાન પર બેસીને નીચે આપેલા હનુમાનજીના મંત્રોનો જાપ કરવાથી તમને માનસિક શાંતિ મળે છે અને તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.



  • ॐ हं हनुमते नमः:।

  • ॐ नमो भगवते आंजनेयाय महाबलाय स्वाहा:।

  • ॐ नमो हनुमते रुद्रावताराय सर्वशत्रुसंहारणाय:।


આ સાથે તમે રામ નામનો જાપ પણ કરી શકો છો. રામજીનું નામ લેવાથી તમને હનુમાનજીની કૃપા મળે છે.


હનુમાન મંદિરે જાવ અને ધ્યાન કરો


આ દિવસે હનુમાનજીના ભક્તોએ હનુમાન મંદિરમાં જઈને ધ્યાન અને સાધના કરવી જોઈએ. તમે આ દિવસે મંદિરમાં જઈને 1008 વાર રામ નામનો જાપ પણ કરી શકો છો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને આશિષ વરસાવે છે.


સુંદરકાંડ પાઠ


હનુમાન જયંતિના દિવસે ભક્તોએ હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડ અને હનુમાન અષ્ટકનો પાઠ કરવો જોઈએ.


હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરો


હનુમાન જયંતિના દિવસે તમે હનુમાનજીને ચોલા, લાલ ફૂલોની માળા, લાડુ વગેરે અર્પણ કરો. આ વસ્તુઓ ચડાવવાથી હનુમાનજી તમારા જીવનમાં આવનારી બાધાઓ દૂર કરે છે.


શક્ય તેટલું દાન કરો


હિંદુ ધર્મમાં દાનનું ખૂબ મહત્વ છે. હનુમાન જયંતિના દિવસે પણ જો તમે જરૂરિયાતમંદ લોકોની શક્ય એટલી મદદ કરશો તો તમારા જીવનની પરેશાનીઓ દૂર થઈ જશે. આવું કરવાથી માત્ર હનુમાનજી જ નહીં પરંતુ ભગવાન રામના આશીર્વાદ પણ તમારા પર વરશે  છે.