Shrawan Somavar 2026: ભગવાન શિવને સમર્પિત શ્રાવણ  મહિનો શિવભક્તો માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. શિવભક્તો શ્રાવણ મહિનામાં ભગવાન ભોલેનાથની વિશેષ પૂજા કરે છે. આ મહિનાનો સોમવાર શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણના દરેક સોમવારે લોકો મંદિરમાં જઈને શિવલિંગનો જલાભિષેક કરે છે, તેમને બેલપત્ર, ધતુરા, ચંદન અને ફૂલ વગેરે ચઢાવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો સાવન સોમવારનું વ્રત રાખે છે. બીજી તરફ જો કોઈ દંપતિને સંતાન સુખ જોઈતું હોય તો તેમણે શ્રાવણના  પહેલા સોમવારે કેટલાક ઉપાય કરવા જોઈએ. 

Continues below advertisement

સંતાન સુખ માટે શ્રાવણના પહેલા સોમવારે ભગવાન શિવને દૂધમાં ચંદન મિક્સ કરીને અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે જો શ્રાવણના  પહેલા સોમવારે ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો પરિવારની વૃદ્ધિ, સંતાન પ્રાપ્તિની સાથે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
 
જો તમે તમારી પોતાની પ્રગતિ ઈચ્છતા હોવ તો શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસીને 'ઓમ નમઃ શિવાય' અને 'ઓમ સોમાય નમઃ'નો જાપ કરો. રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો.
 
જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે જ જો તમે શ્રાવણ મહિનામાં સ્નાન કરીને પ્રદોષ કાળમાં ભોલેનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે.
 
 
આ સિવાય શ્રાવણના પહેલા સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો. ત્યારબાદ સફેદ ચંદન, સફેદ ફૂલ, પંચામૃત, ચોખા, સોપારી, બેલપત્ર વગેરેથી શિવલિંગની પૂજા કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.
 
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                                                           

 

Continues below advertisement