Akshaya Tritiya Upay: અક્ષય તૃતિયાના અવસરે કરો આ ઉપાપ. આર્થિક સ્થિતિમાં થશે સુધાર, ધન આગમનના બનશે યોગ
Akshaya Tritiya Upay : અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ માટે ધનની દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરો. પૂજા સમયે માતાને ગુલાબનું ફૂલ ચઢાવો અને જ્યારે પૂજા સમયે ગુલાબી રંગના કપડા પહેરો.

Akshaya Tritiya Upay :આજે અક્ષય તૃતીયા છે. આ તહેવાર દર વર્ષે વૈશાખ માસમાં શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 19 અને 20 એમ બંને દિવસ અક્ષય તૃતિયા છે. કેલેન્ડર મુજબ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 19 એપ્રિલ, રવિવારના રોજ સવારે 10:50 વાગ્યાથી તૃતિયા તિથિ શરૂ થશે અને 20 એપ્રિલ, સોમવારના રોજ સવારે 7:20 વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિની ગણતરી મુજબ, ૨૦ એપ્રિલના રોજ દિવસભર તૃતીયા તિથિ માન્ય રહેશે, પરંતુ તેમ છતાં, 19 એપ્રિલ, રવિવારના રોજ અક્ષય તૃતીયાની ઉજવણી શાસ્ત્રો અનુસાર થશે.કેલેન્ડર મુજબ, વૈશાખ મહિનાના શુક્લ પક્ષની બીજી તિથિ 19 એપ્રિલ, રવિવારના રોજ સવારે 10:5૦ વાગ્યા સુધી રહેશે. આ પછી, તૃતીયા તિથિ શરૂ થશે. તૃતીયા તિથિ 20 એપ્રિલ, સોમવારના રોજ સવારે 7:2૦ વાગ્યા સુધી ચાલશે. ઉદય તિથિની ગણતરી મુજબ, 20 એપ્રિલના રોજ દિવસભર તૃતીયા તિથિ માન્ય રહેશે, પરંતુ તેમ છતાં, 10 એપ્રિલ, રવિવારના રોજ અક્ષય તૃતીયાની ઉજવણી શાસ્ત્રો અનુસાર થશે.
સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા તિથિનું વિશેષ મહત્વ છે. આ દિવસે કેદારનાથના કપાટ પણ ખુ્લ્લે છે. એવી ધાર્મિક માન્યતા છે કે, અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. આ દિવસે વિશેષ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. જો તમે પણ આર્થિક સંકટથી પરેશાન છો તો રાહત મેળવવા માટે આ ઉપાયો ચોક્કસ કરો.
અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. આ માટે ધનની દેવી લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરો. પૂજા દરમિયાન માતાને ગુલાબનું ફૂલ અર્પણ કરો. પૂજા સમયે ગુલાબી રંગના કપડાં પહેરો. "હ્રીમ કા એ અલ હ્રીમ હ્સ કા હલા હ્રીમ એસ કા લા હ્રીમ" મંત્રનો પણ જાપ કરો.
અક્ષય તૃતીયા પર ઘરને સ્વચ્છ રાખો. સાથે જ વાસ્તુ દોષોને દૂર કરવાના ઉપાય કરો. આ માટે તમામ વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખો. ઘરના કબાટને દક્ષિણ દિશામાં રાખો. તેનાથી ધનમાં વધારો થાય છે.
અક્ષય તૃતીયા પર ભગવાન ગણેશની મૂર્તિ ઘરમાં લાવવી ખૂબ જ શુભ હોય છે. પ્રતિમાને ઘરના મુખ્ય દ્વાર પર મૂકો. આ ઉપાય કરવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
- વૈવાહિક જીવનમાં મુશ્કેલી આવી રહી હોય તો અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. આ દિવસે વિશ્વના સર્જનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે.
અક્ષય તૃતિયાના દિવસે ઘરેણાં ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી, તો જવ ખરીદો. આ ઉપાય કરવાથી ઘરમાં ધન આગમના માર્ગ ખૂલશે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો
ટોપ સ્ટોરી



















