Hanuman:હનુમાન ચારેય યુગોમાં તેમની ભક્તિ, શક્તિ અને બુદ્ધિને કારણે પૂજનીય બન્યા છે. તુલસીદાસ હનુમાનજી વિશે લખે છે, 'સંકટ કાટે મિત્તે સબ પીરા, જો સુમિરાઈ હનુમત બાલા બીરા' એટલે કે હનુમાનજીમાં દરેક પ્રકારના દુઃખ અને સંકટને  દૂર કરવાની ક્ષમતા છે.

 તે દરેક મુશ્કેલ ઘડીમાં જો તેમને સાચા હદયથી પુકારવામાં આવે છે તો તે સંકટ સમયે સહાય અચૂક કરે છે. શનિવાર અને મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. જો આ દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો કષ્ટભંજન દરેક કામનાની પૂર્તિ કરે છે.

 બજરંગ બલિની પૂજાના નિયમો જાણો

  • હનુમાનને શક્તિ, બુદ્ધિ, જ્ઞાન, બહાદુરી અને નિર્ભયતાનું પ્રતિક માનવામાં આવે છે. સંકટ સમયે હનુમાનજીનું જ સ્મરણ કરવાથી સાધકના દરેક સંકટ દૂર થાય છે. તેને મુશ્કેલીનિવારક કહેવામાં આવે છે. બજરંગ બલિની પૂજા કેવીરીતે કરવી, જાણીએ 7 મહત્વના મુદ્દા
  • મંગળવાર, શનિવાર અથવા હનુમાન જયંતિના દિવસે સૂર્યોદય પહેલા સમયે સ્નાન કરો અને શ્રી હનુમતે નમઃ મંત્રનો જાપ કરો.
  •  મંગળવાર, શનિવાર અથવા હનુમાન જયંતીના દિવસે સવારે તાંબાના વાસણમાં પાણી અને સિંદૂર મિક્સ કરીને શ્રી હનુમાનજીને અર્પણ કરો.
  •  હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાન યંત્રને સિદ્ધ કર્યા પછી તેને લાલ દોરામાં ધારણ કરો, બાદમાં દર મંગળવારે તેની વિધિવત પૂજા કરો.
  • હનુમાન જયંતિના દિવસથી સતત 10 મંગળવાર સુધી શ્રી હનુમાનને ગોળ અર્પણ કરો.
  •  હનુમાન જયંતિના દિવસથી શરૂ કરીને દર મંગળવારે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો.
  •  હનુમાન જયંતિના દિવસે શ્રી હનુમાનના મંદિરમાં જઈને સતત 10 મંગળવાર સુધી કેળાનો પ્રસાદ ચઢાવો.
  • ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને શ્રી હનુમાનજીને અર્પણ કરો. હનુમાન જયંતિ અને મંગળવારે આ ઉપાય કરવાથી જલ્દી સફળતા મળે છે.

જીવનમાં ઈચ્છા પૂર્ણ કરવા માટે હનુમાનની પૂજા અચૂક માનવામાં આવે છે. હનુમાન અને તેમનું ચરિત્ર જીવનના દરેક પડકારો કે મુશ્કેલીઓને  બહાદુરી, દ્રઢતાથી પાર પાડવાની અદ્ભુત પ્રેરણા છે. હનુમાનને ચિરંજીવી પણ માનવામાં આવે છે. આવી અદ્ભુત શક્તિઓ અને ગુણોના માલિક હોવાને કારણે, તે જાગૃત દેવતા તરીકે પૂજવામાં આવે છે. તેથી, કોઈપણ સમયે હનુમાનની ભક્તિ વ્યક્તિને તન, મન અને ધનથી સમૃદ્ધ બનાવે છે. હનુમાન જયંતિથી આ વિશેષ અવસરે  હનુમાન મંત્રની શરૂઆત કરવી અત્યંત શુભ છે. તેની ચમત્કારી અસરથી ચારે બાજુથી ખુશીઓ વરસવા લાગશે.

કેવી રીતે કરશો સાધનો

  • સ્નાન કર્યા બાદ શ્રી હનુમાનજીની પંચોપચાર પૂજા કરો એટલે કે સિંદૂર, સુગંધ, અક્ષત, ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરો.
  • ગુગ્ગલ ધૂપ અને દીવો પ્રગટાવ્યા પછી દુઃખમુક્ત કરવાની ઈચ્છા સાથે લાલ આસન પર બેસીને નીચે લખેલા હનુમાન મંત્રનો પાઠ કરો અને અંતે શ્રી હનુમાનની આરતી કરો.

ઓમ નમો હનુમતે રુદ્રવતારાય

વિશ્વરૂપાય અમિત વિક્રમાય

પ્રકટ પરાક્રમાય મહાબલાય

સૂર્ય કોટિસમમપ્રભાય રામદૂતાય સ્વાહા

- જ્યોતિષાચાર્ય  તુષાર જોશી