Trigrahi Yog Effect: 25 જુલાઈની સવારે મંગળ, શુક્ર અને બુધ સિંહ રાશિમાં એક સાથે આવ્યા.જેના કારણે  ત્રિગ્રહી યોગ બને છે જ્યારે આ ત્રણ ગ્રહો ભેગા થાય છે.કેટલીક રાશિઓને શુભ ફળ આપે છે.


જ્યોતિષમાં ગ્રહોના સંયોગનું વિશેષ મહત્વ છે. જ્યોતિષશાસ્ત્રમાં ત્રણ ગ્રહોના સંયોજનને ત્રિગ્રહી યોગ કહેવાય છે. એક રાશિમાં ત્રણ ગ્રહો એકસાથે હોય ત્યારે આ યોગ બને છે. આ સંયોજન ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.


25 જુલાઈ એટલે કે આજે મંગળ, શુક્ર અને બુધ સિંહ રાશિમાં એકસાથે આવ્યાં છે. જ્યારે તેઓ એક સાથે આવે ત્યારે ત્રિગ્રહી યોગ રચાઇ છે.  જેની કેટલીક રાશિઓ પર શુભ અસર કરી રહ્યો છે. આવો જાણીએ આ યોગથી કઈ રાશિના લોકોનું ભાગ્ય  ચમકશે.


મેષ-મેષ રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ શુભ સાબિત થશે. મંગળ, શુક્ર અને બુધ એક સાથે આવશે ત્યારે તમને લોકોનો સહયોગ મળશે. કાર્યસ્થળમાં વરિષ્ઠ અધિકારીઓ તમને સહકાર આપશે. તમારા પ્રત્યે તેનું વર્તન ઘણું સારું રહેશે. કાર્યસ્થળમાં કેટલાક સારા ફેરફારોની અપેક્ષા છે. આ યોગથી તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે.


વૃષભઃ- વૃષભ રાશિના લોકોને આ યોગથી તમામ પ્રકારની સુખ-સુવિધાઓ મળશે. કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં ભાગ્ય તમારો સાથ આપશે. આ સમય દરમિયાન તમે નવું કામ પણ શરૂ કરી શકો છો. વિદેશમાં કામ કરવાની ઉત્તમ તકો મળવાની સંભાવના છે. જે વ્યાપારીઓ પોતાનો વ્યાપાર કરવાનું વિચારતા  હોય તેને  તેમના માટે આ યોગ શુભ પરિણામ લઈને આવ્યો છે. તમારી રુચિ આધ્યાત્મિકતા તરફ આગળ વધશે.


તુલાઃ- તુલા રાશિના જાતકોને કરિયરના ક્ષેત્રમાં ત્રિગ્રહી યોગનો લાભ મળશે. તમને આવકની ઉત્તમ તકો મળશે. કેટલાક સારા પ્રોજેક્ટ પણ તમારા હાથમાં આવી શકે છે. આ ત્રણેય ગ્રહોના સંયોગને કારણે તમારી કુંડળીમાં નાણાંકીય લાભની શક્યતાઓ બની રહી છે. તમને સમૃદ્ધિ મળશે અને સમાજમાં તમારું સન્માન પણ વધશે. આ રાશિના જાતકો માટે વિદેશ પ્રવાસ પર જવાની શક્યતાઓ પણ બની રહી છે.


વૃશ્ચિકઃ- વૃશ્ચિક રાશિના લોકો માટે દુર્લભ ત્રિગ્રહી યોગ ખૂબ જ ફળદાયી સાબિત થવાનો છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓમાં તમારું સન્માન વધશે. સરકારી રાજદ્વારી કે વહીવટી અધિકારીઓને આ યોગનો જબરદસ્ત લાભ મળવાનો છે. આ સમયે તમને વિદેશમાંથી સારા પ્રોજેક્ટ અને તકો પણ મળશે. તમને વિદેશ જવાનો મોકો પણ મળી શકે છે.


કુંભઃ- આ ત્રિગ્રહી યોગ કુંભ રાશિ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ સમયે શરૂ થયેલ કોઈપણ પ્રોજેક્ટ, કાર્ય અથવા વ્યવસાય તમને સારો નફો આપશે. આ યોગથી તમને ધન અને સમૃદ્ધિ મળશે. વેપારીઓને આ સમયે મોટો નફો મળવાની સંભાવના છે. આ રાશિના લોકો નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી શકે છે. તમને અચાનક પૈસા મળવાની સંભાવના છે. જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે.


મીનઃ- મીન રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ઉત્તમ કાર્ય માટે પ્રશંસા મળશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં સુધારો થવાની પ્રબળ સંભાવના છે. કાર્યસ્થળ પર તમારા કામના કારણે તમને લોકપ્રિયતા મળશે. આ યોગની અસરથી તમે બધાનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરી શકશો. તમે તમારા શત્રુઓ પર સરળતાથી જીત મેળવી શકશો.