Holika Dahan 2023 Upay: હોલીકા દહન સાંજના એક દિવસ પહેલા અને ફાગણ વ્રતની પૂર્ણિમા હોય છે. આ વ્રત બાદ હોલિકામાં કેટલીક ચીજો અર્પણ કરવાથી  ઇચ્છાપૂર્તિ થાય છે.


હોળી રંગનો તહેવાર છે અને તે દેશભરમાં ખૂબ જ ઉજવણી સાથે ઉજવવામાં આવે છે. હોળી માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ વિવિધ સંસ્કૃતિ અને અન્ય ધર્મોના લોકો પણ ઉજવે  છે. તેથી, હોળી એકતા અને સાંપ્રદાયિક સંવાદિતાનું પર્વ છે.


હોળીના એક દિવસ પહેલા અને ફાગણ  પૂર્ણિમાના દિવસે હોલીકા દહન કરવામાં આવે છે. હોલીકા દહનની પરંપરા વિષ્ણુ ભક્તો પ્રહલાદ, હિરણ્યકત અને હોલીકા સાથે સંકળાયેલી છે. મહિલાઓ હોલીકા દહન સમયે પૂજા કરે છે અને હોલીકામાં કેટલીક  સામગ્રી  પણ અર્પણ કરે  છે. જ્યોતિષાચાર્ય પંડિત સુરેશ શ્રીમાલી કહે છે કે, હોલિકામાં ત્રણ વસ્તુ અર્પણ કરવાથી ઇચ્છાઓની પૂર્તિ  થાય છે


આ ત્રણ વસ્તુઓ હોલિકામાં હોમવાથી થાય છે ઇચ્છાપૂર્તિ



  • ઊંબી - તે એક પ્રકારની અનાજ છે. જેને અગ્નિ દેવતાને ભોગના સ્વરૂપે ધરાવવામાં આવે છે. જેનાથી અગ્નિ દેવ પ્રસન્ન થાય છે અને ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે.

  • ગોબર ટૂકડાની માળા-અગ્નિ અને ઇદ્ર વસંતની પૂર્ણિમાના દેવતા મનાય છે. આ માળાને અગ્નિને ઘરેણાની જેમ પહેરવાથી ઇચ્છાની પર્તિ થાય છે.

  •  નાળિયેર- નાળિયેરને શ્રીફળ કહેવાય છે. ફળના રૂપે તેને હોલિકા દહન સમયે અર્પણ કરીને ઘરે લાવો અને તેનો પ્રસાદ ઘરના સર્વેને આપો જેનાથી દરેક ઇચ્છાની પૂર્તિ થશે.


હોલીકા દહનના દિવસે આ કામ  કરો


હોલીકાની પૂજા અને દહનની પરિક્રમાને  ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે સાચા મન અને સંપૂર્ણ ભક્તિથી ફરતા હો, તો તે આપની મનની મુરાદ અચૂક પૂર્ણ થાય છે.


Holi 2023: હોળી પર રાશિ મુજબ  આ વર્ષે કરી જુઓ આ ઉપાય, મળશે સુખ સમૃદ્ધિનું વરદાન


     Holi 2023:     હોળીનું પર્વ આસુરી શક્તિ પર દૈવીય શક્તિના વિજયનું પર્વ છે. આ અવસરે જીવનની નકારત્મકતા દૂર કરવા અને સકારત્મકતાનો સંચાર કરવા તેમજ તમામ કષ્ટોને હોળીમાં હોમી દેવા રાશિ મુજબ આ ઉપાય કરી જુઓ , જ્યોતિષાચાર્ય શ્રીમાળીજીના મત મુજબ આ ઉપાયથી જીવનની તમામ મુશ્કેલીથી રાહત મળશે અને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યનું વરદાન મળશે.


મેષ


હોળીનો ઉપાય- 11 સોપારી અને 5 કોડીને ગુલાબી કપડામાં બાંધો. તેના પર ચંદનનું અત્તર લગાવો અને 7 વાર માથા પરથી ફેરવો  હવે તેને હોળીની આગમાં નાખો. નોકરીની તમામ સમસ્યાઓ દૂર થશે.


વૃષભ


હોળી માટેનો ઉપાયઃ- એક શ્રીફળ લો, તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. કુમકુમ, સાબુત ચોખાથી  પૂજા કરો. તમારી સમસ્યા વિશે બોલો અને બાદ તેને લાલ કપડામાં બાંધી દો. હોલિકા દહન સમયે આ  નાળિયેરને હોળીની આગમાં  નાખી દો.  તમારી સ્વાસ્થ્ય સંબંધી તમામ સમસ્યાઓનો અંત આવશે.


મિથુન


હોળીનો ઉપાયઃ- ભગવાન ગણેશની સામે 27 મખાના રાખો.  શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. ચંદ્રદેવની પૂજા કરો. તમારી ઈચ્છા કહેતા  જમણા હાથે માખણને હોળીની આગમાં ચઢાવો. નોકરીની સમસ્યાઓનો અંત આવશે.


કર્ક


હોળીનો ઉપાયઃ- ઘઉં અને ચોખાના લોટનો ચારમુખી દીવો કરો. તેમાં તલનું તેલ નાખીને ઘરના મુખ્ય દરવાજા પર પ્રગટાવો.  સુખી દામ્પત્ય જીવનની ઈચ્છા સાથે હોલિકાની અગ્નિમાં જવના 27 દાણા ચઢાવો.


સિંહ


હોળીનો ઉપાય- 11 જોડી લવિંગ અને 11 લીલા દૂર્વા લો. તમારા બાળકોના હાથ ઘરના મંદિરમાં મૂકો. આ પછી હોળીની આગમાં બધી સામગ્રી નાખો. તમારા બાળકો ખરાબ નજરથી સુરક્ષિત રહેશે.


કન્યા


હોળી માટેનો ઉપાય- એક નાગરેવલનું પાન લો, તેના પર  ઘીમાં ઝબોલીને એક લવિગ અને 1 સોપારી મૂકો બાદ તમારા  માથા પરથી  7 વાર તેને ઉતારો. બાદ આ વસ્તુઓ  હોળીની આગમાં હોમી દો. આપના  બગડેલા કામો થવા લાગશે.


તુલા


હોળી માટે ઉપાય- પીપળના પાન પર 1 જાયફળ, થોડા આખા ચોખા અને ખાંડ મૂકો અને તને હોળીની આગમાં હોમી દો. આનાથી પારિવારિક વિવાદોનો અંત આવશે.


વૃશ્ચિક


હોળી માટેનો ઉપાય- નાગરવેલના પાન પર એક સોપારી અને  5 કમલકાકડી ઘીમાં બોળીને મૂકો. બાદ ઓમ હનુમતે નમઃ મંત્ર 27 વાર બોલો અને તેને અગ્નિમાં હોમી દો. વેપાર સંબંધિત સમસ્યાનો અંત આવશે.


ધન


હોળીનો ઉપાયઃ- પીપળના પાન પર અડધા મુઠ્ઠી કાળા તલ રાખો. તમારી ઈચ્છા કહ્યા પછી પાનને ઘરની પશ્ચિમ દિશામાં રાખો. સાંજે પોતાના પરથી  સાત વાર ફેરવો અને   હોળીની અગ્નિમાં ચઢાવો.  નજર દોષથી  છુટકારો મળશે.


મકર


હોળીનો ઉપાય- એક નારિયેળ કાપીને તેમાં મુઠ્ઠીભર સાત દાણા ભરીને ઘરના મંદિરમાં રાખો. હોલિકા દહન સમયે, તે બોલને તમારા કપાળથી સ્પર્શ કરો અને તેને હોળીની આગમાં હોમી દો.  નવગ્રહોની પીડાનો અંત આવશે.


કુંભ


હોળીનો ઉપાયઃ- તમારી ઉંમરના હોય તેટલા કાળા અડદના દાણા એક નાગરવેલના પાન પર રાખો. તમારા દિલની ઈચ્છા બોલો અને હોળીની આગમાંહોમી દો.  આ પ્રયોગથી જમીન-સંપત્તિના વિવાદનો અંત આવશે.


મીન


હોળી માટે ઉપાય- એક મોટી સોપારી લો. તેના પર મુઠ્ઠીભર હવન સમાગ્રી, હળદરનો એક ગઠ્ઠો, આખી સોપારી અને કપૂર મૂકો. હોલિકાની 7 પરિક્રમા કરો અને તેને અગ્નિમાં ચઢાવો. શારીરિક પીડા ઓછી થશે અને મન પ્રસન્ન રહેશે