Horoscope Today 2 April 2022, Aaj Ka Rashifal, Daily Horoscope : પંચાગ અનુસાર આજે 2 એપ્રિલ, 2022 શનિવાર ચૈત્ર સુદ એકમની તિથિ છે. આજથી હિન્દુ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે. આજથી ચૈત્ર નવરાત્રિ પણ શરૂ થઈ રહી છે. આજે ચંદ્ર મીન રાશિમાં રહેશે. આજે રેવતી નક્ષત્ર છે. જાણો કેવો રહેશે તમારો આજનો દિવ,
મેષઆજના દિવસે દેવી ભગવતીની ઉપાસના કરો અને તમામના ક્લ્યાણની પ્રાર્થના કરો. આવકમાં વધારો થતો જણાય. આર્થિક પાસું મજબૂત બને. પરિવારમાં પરસ્પર પ્રેમની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્ર સફળતાનો અનુભવ કરી શકો. નવા રોકાણોથી લાભ શક્ય બને. આરોગ્ય જળવાય. વાણીને પવિત્ર કરવા ધાર્મિક પાઠનું વાંચન કરી શકો છો.
વૃષભઆજના દિવસે દેવીને સફરજનનો ભોગ લાગવો અને લાલ રંગના ફૂલ ચઢાવો. માનસિક અસ્વસ્થતાનો અનુભવ થાય. ખર્ચના પ્રમાણમાં આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સાનુકૂળતા માતા સાથે મતભેદની શક્યતા છે.
મિથુનઆજના દિવસે પૂજા દરમિયાન દેવીને સુગંધિત ચીજો અર્પણ કરો. તેનાથી તમારું મન એકાગ્ર થશે. મનોબળ મજબૂત બને. કરેલા કાર્ય સફળ થતા જણાય. આર્થિક બાબતોનું આયોજન સુંદર રીતે કરી શકાય. યશ-પ્રતિષ્ઠા વધે. સ્ત્રીવર્ગથી ફાયદો મળે. જીવનસાથી સાથે મતભેદ ટાળવા. પારિવારિક સ્થિતિ ઠીક રહેશે.
કર્કઆજના દિવસે દુર્ગા માતાને કેસરથી બનેલી ખીરનો ભોગ લગાવો. ઉપરાંત રોગ મુક્તિની પ્રાર્થના કરો. દિવસ દરમિયાન આનંદનો અનુભવ થાય. આવક વધતાં બેંક બેલેન્સ વધે. પરિવારમાં સુખ શાંતિ વર્તાય. શેરબજારથી લાભ. માતૃપક્ષ તરફથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ગળાના રોગોથી સાચવવું.
સિંહઆજના દિવસે મેડિકલ ક્ષેત્રમાં કામ કરતાં લોકો માટે સારો રહેશે. માનસિક શાંતિ રહેશે. નાણાકીય વ્યવહારોમાં લાભ. આવક વધે. પરિવારમાં મોજશોખમાં ખર્ચ રહે. સ્થાવર-જંગમ મિલકતના વ્યવહારોમાં લાભ. માતાપિતાના આરોગ્યનું ધ્યાન રાખવું. સંતાનને લઈ ચિંતા રહી શકે છે.
કન્યાઆજના દિવસે આર્થિક રીતે નફો મળવાની સંભાવના છે. વાણી દ્વારા કાર્યમાં સફળતા મળતી જણાય. આવક વધતી જણાય. માતા સાથે મતભેદની શક્યતા તથા માતાની તબિયત સાચવવી. મિત્રોથી સાચવવું. મિત્રોની સલાહ ઉપર આંધળો ભરોસો ન કરવો.
તુલાઆજના દિવસે મંદિરની સફાઈ કરો. આનંદ-ઉત્સાહ વધતો જણાય. આર્થિક બાબતોમાં સફળતા મળે. પરિવારમાં અસંતોષ વધે તથા ધાર્યા પ્રમાણના કાર્ય કરવામાં અસમર્થતા પેદા થાય. નવા રોકાણો ટાળવા. સરકારી કામકાજમાં સાવધાની રાખવી જરૂરી. જે મહિલાઓ ઘરેથી કામ કરતી હોય તેમણે કાર્ય પર વધારે ધ્યાન આપવું.
વૃશ્ચિકઆજના દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરો. પૂજા દરમિયાન પુષ્પ ઉપલબ્ધ હોય તો દેવીને શ્રૃંગાર કરો. મોજશોખનું પ્રમાણ વધશે. આથી વ્યસનમાં ન પડાય એનું ધ્યાન રાખવું. આવકનું સ્તર સામાન્ય રહેતું જણાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. સંધ્યા સમયે માતાની આરાતા કરી ખીરનો ભોગ લગાવો.
ધનઆજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે. સ્નાન તથા દૈનિક ક્રિયા બાદ પૂજા ઘરમાં તમામ દેવી દેવતાનો તિલક કરો. દિવસ દરમિયાન આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં ગુસ્સો ટાળી શાંતિથી કામ લેવું. રોકાણો ક્ષેત્રે જૈસે થેની સ્થિતિ સર્જાય. દામ્પત્ય જીવનમાં ગુસ્સા ભર્યુ વાતાવરણ રહે. ગર્ભવતી મહિલાએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
મકરઆજના દિવસે દેવીને ફળમાં કેળાનો ભોગ લવાગો અને પીળા ચંદનથી તિલક કરો. માનસિક સ્વસ્થતા જળવાશે. નાણાની આવક રહેશે પરંતુ બગાડ અટકાવવોવાહનસુખ મળશે. નવી મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. સંતાનની પ્રગતિથી હર્ષ. પરિવામાં કોઈ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખજો.
કુંભઆજે દેવીને કેળાનો ભોગ લગાવો અને પીળા ચંદનનું તિલક કરો. જો ગુસ્સા ઉપર કાબૂ રાખી શકો તો આત્મ વિશ્વાસમાં વધારાને કારણે અગત્યના કાર્યો કરી શકાય. આર્થિક બાબતો અંગે શુભફળ મળે. પરિવારમાં અત્યંત પ્રસન્નતાનો અનુભવ કરી શકશો. આરોગ્ય સાચવવું.
મીનઆજના દિવસે મા દુર્ગાને ખીરનો ભોગ લગાવો અને પ્રસાદ તરીકે ઘરના તમામ સભ્યોને વહેંચો. ઉદારતા તથા અન્યને મદદ કરી શકવાને કારણે મનમાં શાંતિ રહે તથા યશ-પ્રતિષ્ઠા વધે. આવકમાં વૃદ્ધિ આવતી અનુભવી શકાય. સ્ત્રીવર્ગથી લાભ. નોકરીયાતને શાંતિ તથા ધંધાર્થીને અસંતોષ રહે. જીવનસાથી સાથે તાલમેલ બનાવી રાખવો. તેમનો મૂડ તમારી વાતોને લઈ ઓફ થઈ શકે છે.