Pitru Paksha 2025 Niyam:હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃ પક્ષમાં પૂર્વજોનું સ્મરણ કરવામાં આવે છે અને તેમના નામ પર તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. તેનાથી પ્રસન્ન થઈને પૂર્વજો તેમના વંશજોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.

Continues below advertisement

પિતૃ પક્ષમાં ચણા ન ખાવા

ધાર્મિક માન્યતા અનુસાર, પિતૃ પક્ષ દરમિયાન ચણા અને ચણામાંથી બનેલા પદાર્થો જેમ કે ચણાની દાળ અને સત્તુનું સેવન ન કરવું જોઈએ. કારણ કે શ્રાદ્ધ પક્ષમાં ચણા વર્જિત છે. શ્રાદ્ધ પક્ષ દરમિયાન ચણાનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે.

Continues below advertisement

મસૂર દાળ

પિતૃ પક્ષમાં શ્રાદ્ધ દરમિયાન કાચા અનાજનું સેવન વર્જિત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, પિતૃ પક્ષ દરમિયાન મસૂરનું સેવન ન કરવું જોઈએ. આ સિવાય કઠોળ, ચોખા, ઘઉં જેવા કાચા અનાજનું પણ પિતૃ પક્ષ દરમિયાન સેવન ન કરવું જોઈએ. આ વસ્તુઓનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, તેને ઉકાળીને ખાવું જોઈએ. શ્રાદ્ધ દરમિયાન મસૂરની દાળનો ઉપયોગ કોઈપણ સ્વરૂપમાં ન કરવો જોઈએ.

લસણ-ડુંગળીનું સેવન પ્રતિબંધિત છે

હિંદુ શાસ્ત્રો અનુસાર પિતૃ પક્ષ દરમિયાન લસણ-ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. લસણ અને ડુંગળીને તામસિક ખોરાકની શ્રેણીમાં ગણવામાં આવે છે. કહેવાય છે કે પિતૃપક્ષમાં આ વસ્તુઓનું સેવન કરવાથી પિતૃ ક્રોધિત થાય છે અને અસંતુષ્ટ રહે છે. આ કારણે કુંડળીમાં પિતૃ દોષ રહે છે.

પિતૃપક્ષમાં આ શાકભાજીનું સેવન પ્રતિબંધિત છે

પિતૃપક્ષ દરમિયાન પણ બટાકા, મૂળા, અરબી અને કંદ ધરાવતી શાકભાજીને ભૂલથી પણ  ન ખાવી  જોઈએ. આ સિવાય જે શાકભાજી જમીનની અંદર ઉગે છે તેનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે. શ્રાદ્ધમાં આ શાકભાજી ન તો જાતે ખાવી જોઈએ અને ન તો બ્રાહ્મણોને ખવડાવવી જોઈએ અને તેમને દાન પણ આપવી વર્જિત છે.

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.