Astrology: આ ઉપરાંત, આપણે કેટલીક એવી વસ્તુ મફતમાં અથવા ભેટમાં લઈએ છીએ, જેની અસર જ્યોતિષમાં યોગ્ય માનવામાં આવતી નથી. આવો જાણીએ કઈ વસ્તુઓvs  ભૂલીથી પણ મફતમાં કે ગિફ્ટમાં ન લેવી જોઇએ.


જ્યોતિષ શાસ્ત્રના સમયની ગણતરી મુજબ ગ્રહોનો વ્યક્તિના જીવન પર ઘણો પ્રભાવ હોય છે. લોકોને મફતમાં મળતી વસ્તુઓમાં વધુ રસ હોય છે. મફતમાં મળે ત્યારે  ખુશ થાય છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે વસ્તુઓ મફતમાં મળે છે તે કેટલીકવાર તમારા ગ્રહ સાથે મેળ ખાતી નથી અને તેની તમારા પર વિપરીત અસર પડે છે, ચાલો જાણીએ કઈ વસ્તુઓ મફતમાં ન લેવી જોઈએ.


નમક ન લેવું જોઇએ


મીઠાનો સીધો સંબંધ શનિદેવ સાથે છે. જો તમે કોઈની પાસેથી મીઠું લઈ રહ્યા છો, તો તમારે તેના બદલે તેને કંઈક આપવું જોઈએ કારણ કે જો તમે મીઠું લો છો, તો શનિદેવ ગુસ્સે થઈ જાય છે અને તમારા પર વિપરીત અસર આપની ધનની સ્થિતિ પર પડે  છે.


સોય


કોઈ બીજા પાસેથી સોય માંગવાના કારણે આપના  ઘરમાં મુશ્કેલીનું વાતાવરણ સર્જાય છે. શનિદેવ ગુસ્સે થાય છે. આ સાથે રાહુની પણ વિપરીત અસર થાય છે.


લોખંડ ન લેવું જોઇએ


લોખંડનો સંબંધ શનિદેવ મહારાજ સાથે પણ છે. તેથી લોખંડનો વ્યવહાર પણ ન કરવો જોઈએ. તમારે શનિવારે લોખંડ ખરીદવાનું ટાળવું જોઈએ. જો તમે મશીન અથવા અન્ય કોઈ સાધન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે તેને ખરીદી શકો છો.


તેલ ન  લેવું જોઇએ


ક્યારેય કોઈની પાસે તેલ માંગવાની ભૂલ ન કરો. આ તમારા પરસ્પર સંબંધોને બગાડે છે. તે જ સમયે, શનિનો પ્રકોપ શરૂ થાય છે.


રૂમાલ ન લેવો જોઇએ


રૂમાલ રાખવો એ સ્વચ્છતાનું પ્રતિક છે. એટલા માટે તમારે કોઈ બીજાના રૂમાલનો ઉપયોગ ન કરવો જોઈએ અને તેને તમારો રૂમાલ ન આપવો જોઈએ. આમ કરવાથી પરસ્પર સંબંધ નબળા પડે છે.