Jyotish Upay: જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.


 ઘણા લોકો સાથે  એવું બનતું હોય છે કે, લાખો પ્રયત્નો કરવા છતાં તેમનું કોઈ કામ આસાનીથી થતું નથી. તેમના દરેક કામમાં વારંવાર અડચણો આવે છે. જીવનમાં દુર્ભાગ્ય રહે છે અને કેટલીક પરેશાનીઓ આવતી જ રહે છે. જ્યોતિષમાં આવા ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જે સૌભાગ્ય વધારવાનું કામ કરે છે. આ સરળ જ્યોતિષીય ઉપાયો કરવાથી ભાગ્ય ચમકે છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.


સૂર્યના ઉપાયથી સફળતા મળશે
જો આપને  સુખ અને સમૃદ્ધિ જોઈતી હોય તો સૂર્યોદય પહેલા ઉઠો. સૂર્યોદય પછી સુવાથી નકારાત્મક ઉર્જા મળે છે. દરરોજ સૂર્યોદય પહેલા ઉઠો અને સ્નાન કરો. આ પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો. આ ઉપાય કરવાથી તમને સૌભાગ્ય અને સ્વાસ્થ્ય મળશે. સૂર્યદેવની કૃપાથી વ્યક્તિને માન-સન્માન પણ મળે છે.


 મા લક્ષ્મીની કૃપા મેળવવા કરો આ ઉપાયો
જો પ્રગતિમાં અડચણ આવી રહી હોય અથવા વેપારમાં સતત નુકસાન થતું હોય તો ધનની દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉપાય કરો.ગુરુવારે પીળા કપડામાં પીળા ફૂલ, પીળા રંગની મીઠાઈઓ રાખી લક્ષ્મી-નારાયણને અર્પણ કરો. આ ઉપાય કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે અને ભાગ્યોદય થશે.


 ગણપતિ તમામ અવરોધો દૂર કરશે
ગણપતિ વિઘ્નકર્તા માનવામાં આવે છે. કરિયર અને બિઝનેસમાં આવનારી સમસ્યાઓને દૂર કરવા માટે દરરોજ ગણપતિની પૂજા કરો. પૂજામાં ભગવાન ગણેશને દુર્વા ચઢાવો. તેનાથી તેઓ પ્રસન્ન થાય છે અને શુભ અને ધનલાભના આશીર્વાદ આપે છે. ગણપતિજીની કૃપાથી કાર્યમાં કોઈ અવરોધ નથી આવતો


Shakun Apshakun: કાગડા સાથે જોડાયેલા આ સંકેતોને નજરઅંદાજ ન કરો, તેને  માનવામાં આવે છે અશુભ 


શકુન શાસ્ત્રમાં કાગડા સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે અશુભ પરિણામ આપે છે. કાગડાઓના આ સંકેતોને બિલકુલ અવગણવા જોઈએ નહીં.


આપણા જીવનમાં બનતી ઘણી ઘટનાઓને શુકન અને અપશુકન  સાથે જોડીને જોવામાં આવે છે. શકુન શાસ્ત્રમાં કેટલીક એવી વાતો કહેવામાં આવી છે, જે શુભ અને અશુભ સૂચવે છે. હિન્દુ ધર્મમાં કાગડાને યમનો દૂત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાગડો એક એવું પક્ષી છે જેને કોઈપણ ઘટનાનો અગાઉથી ખ્યાલ આવી જાય છે. શકુન શાસ્ત્રમાં કાગડા સાથે જોડાયેલા ઘણા સંકેતો જણાવવામાં આવ્યા છે જે અશુભ પરિણામ આપે છે. કાગડાઓના આ સંકેતોને બિલકુલ અવગણવા જોઈએ નહીં. ચાલો જાણીએ કાગડા સાથે જોડાયેલા શુકન અને અશુભ શુકન વિશે.


કાગડાઓ તરફથી મળતાં અપશુકનના સંકેતો
જો કાગડો દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બોલે તો તે અશુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ રીતે કાગડો ઘરના કોઈપણ સભ્યને કોઈ મોટી બીમારી વિશે અગાઉથી જાણકારી આપી દે છે. તે ઘરના સભ્ય સાથે મોટી દુર્ઘટનાનો અશુભ સંકેત પણ દર્શાવે છે.ઘરના ધાબા પર કાગડાના ટોળા આવવા અને તેનું બોલવું પણ ખૂબ જ અશુભ છે. તે સંકટ આવવાની નિશાની છે. આવી સ્થિતિમાં ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ.


જો કાગડો તમને મારતો હોય તો તેને પણ અશુભ માનવામાં આવે છે. તે સૂચવે છે કે તમે કોઈ રીતે  મુશ્કેલીમાં આવી શકો છો. મુશ્કેલી  ભૌતિક કે આર્થિક પણ હોઈ શકે છે. કાગડાનું માથું અડવું પણ અશુભ છે. એવું માનવામાં આવે છે કે તમે અચાનક કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો છો અને તમારે સાવચેત રહેવાની જરૂર છે.


કાગડો પણ શુભ સંકેત આપે છે
જો વહેલી સવારે ઘર, બાલ્કની કે ટેરેસ પર કાગડો આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. તે ઘરમાં મહેમાનના આગમનનો સંકેત આપે છે. જો રોટલીનો ટુકડો મોંમાં દબાવીને કાગડો ઉડતો જોવા મળે તો તે તમારી મોટી ઈચ્છા પૂર્ણ થવાનો શુભ સંકેત છે. શકુન શાસ્ત્રમાં કાગડા માટે મધ્યાહ્ન સમયે ઉત્તર દિશામાં બોલવું પણ સારું માનવામાં આવે છે. કાગડો પાણી પીતો જોવાનો અર્થ છે કે તમને  ખૂબજ ઝડપથી ધન પ્રાપ્તિ થશે. 


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.