Vastu tips for bedroom: બેડરૂમ હોય, રસોડું હોય, લોબી હોય, શૌચાલય હોય દરેક જગ્યાએ વાસ્તુના નિયમોનું પાલન કરવું જરૂરી છે. એક ખોટી વાત તમારું નસીબ બદલી શકે છે. વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવાથી આપણા ઘરમાં સકારાત્મકતા આવે છે. વાસ્તુ અનુસાર ઘરના બેડરૂમમાં વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
બેડરૂમ સાથે સંબંધિત વાસ્તુના નિયમોનું પણ પાલન કરવું જોઈએ. ઘણી વખત જાણતા-અજાણતા આપણે બેડરૂમમાં એવી વસ્તુઓ રાખી દઈએ છીએ જેની આપણા જીવન પર નકારાત્મક અસર થવા લાગે છે. જો લાંબા સમય સુધી આપણા બેડરુમમાં ખરાબ વસ્તુઓ હોય તો જીવનમાં પણ તેની ખરાબ અસર જોવા મળે છે.
તેની અસર માનસિક, આર્થિક અને શારીરિક રીતે જોવા મળે છે. ઘણી વખત તણાવનો સામનો કરવો પડે છે, ઘણી વખત આર્થિક સ્થિતિ સારી નથી હોતી અને ક્યારેક સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવે છે.
બેડરૂમમાં બૂટ અને ચપ્પલ ક્યારેય ન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર બેડરૂમમાં બૂટ અને ચપ્પલ બિલકુલ ન રાખો. તમારા રૂમમાંથી કોઈપણ પ્રકારના બૂટ રાખવા માટેના બોક્સને તરત જ દૂર કરો. બેડરૂમમાં શૂઝ અને ચપ્પલ રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે અને તમારે માનસિક તણાવનો સામનો કરવો પડે છે.
બેડરૂમમાં ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખો
બેડરૂમમાં ખામીયુક્ત ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ન રાખો, જો આવી કોઈ વસ્તુ તમારા રૂમમાં હોય તો તેને બહાર ફેંકી દો અથવા તેને રીપેર કરાવી લો. ખરાબ વસ્તુઓ રાખવાથી રાહુ દોષ થાય છે.
બેડરૂમમાં તાજમહેલનો કોઈ ફોટો કે શો-પીસ ન રાખો. આવું કરવાથી તમારા દાંપત્ય જીવનમાં મુશ્કેલી આવી શકે છે. કેટલાક એવા ચિત્રો હોય છે જેને બેડરુમમાં ન રાખવા જોઈએ.
ગંદા કપડા બિલકુલ ન રાખવા
બેડરૂમમાં ગંદા કપડા બિલકુલ ન રાખવા જોઈએ, આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા નથી રહેતી. ઘરના દરવાજા પાછળ પહેરેલા કે ગંદા કપડા ન લટકાવવા જોઈએ.