Astrology tips:વાસ્તુશાસ્ત્રમાં અનેક છોડને ખૂબ જ ચમત્કારી ગણાવ્યા છે. તેને ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે. આ છોડની અસરથી બગડેલા કામ પણ બનવા લાગે છે. આમાંથી એક છે પારસ પીપલ. આ ભગવાન વિષ્ણુનો પ્રિય છોડ છે. તેને લગાવવાથી પૈસાની કમી નથી રહેતી. ચાલો જાણીએ અન્ય ક્યાં છોડને ઘરના આંગણામાં લગવવા શુભ છે.


એવું માનવામાં આવે છે કે પારસ પીપળની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી બંનેની કૃપા પ્રાપ્ત થાય છે. ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેને ધનવાન બનાવે છે. પરંતુ તેને ઘરમાં નહીં પરંતુ ઘરની બહાર લગાવવો જોઈએ. કારણ કે તે પીપલની એકમાત્ર પ્રજાતિ છે.


તમામ પ્રયાસો પછી પણ જો તમને આર્થિક તંગીમાંથી મુક્તિ ન મળી રહી હોય તો પારસ પીપળના 108 પાંદડા પર ભગવાન વિષ્ણુનું નામ લખીને તેને પવિત્ર નદીમાં વહેવડાવવાથી લાભ થશે. તેનાથી ધનની અછત દૂર થશે અને ધન લાભ થશે.


જો પરિવારનો કોઈ સભ્ય  વારંવાર બીમાર થતો હોય તો પારસ પીપળના 11 પાંદડા પર ઓમ હનુમત્યે નમઃ લખીને વહેતા પાણીમાં પાન વહાવી દેવાથી  સ્વાસ્થ્ય સુધરશે અને તંદુરસ્તીનું સુખ મળશે.


જો યોગ્ય જીવનસાથીની શોધમાં હો અને નિરાશા મળતી હોય તો   લગ્નમાં વિલંબ થતો હોય તો નિયમિત રીતે પારસ પીપળના મૂળમાં જળ ચઢાવવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.


કુંડળીમાં નબળા ગુરુને મજબૂત કરવા માટે પારસ પીપળાના ફૂલ ખૂબ જ ફાયદાકારક છે. ગુરુ ગ્રહને પારસ પીપળનું ફૂલ અર્પણ કરવાથી ગુરુ ગ્રહ બળવાન બને છે.21 દિવસ આ પ્રયોગ કરો શીઘ્ર વિવાહના યોગ બનશે