Chaitra Navratri 2024: 9 એપ્રિલ મંગળવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોએ ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે ખૂબ કાળજી રાખવી પડશે. કોઈ પણ કામ કરતા પહેલા ખૂબ જ સાવધાન રહેવું જોઈએ. જો તમે કોઈ નવા કામમાં રોકાણ કરવા ઈચ્છો છો, તો પહેલાથી જ બધું તપાસી લો, નહીંતર તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. ઘણી રાશિના લોકો ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. ચાલો જાણીએ તે કઈ કઈ રાશિ છે, જે  4 રાશિઓએ  સાવધાન રહેવાની જરૂર છે.


 વૃષભ -


વૃષભ રાશિના જાતકોએ નવરાત્રીના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. જો તમે શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં અવરોધો આવી શકે છે. કાર્યસ્થળ પર લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, સાવચેત રહો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. કોઈપણ પ્રકારના ઝઘડાથી દૂર રહો.


 કન્યા -


જો કન્યા રાશિના લોકો નવરાત્રિના પહેલા દિવસે કોઈ વસ્તુમાં રોકાણ કરવાનું વિચારતા હોય તો સમજી વિચારીને કરો. હંમેશા તમે સાચા છો એવું માનવાની ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે. કાર્યસ્થળ પર દલીલો ટાળો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.


 મકર-


મકર રાશિના લોકોના લકઝરીમાં આજે ઘટાડો થઈ શકે છે. નવરાત્રિનો પહેલો દિવસ તમારા માટે કંઈ નવું લાવશે નહીં. તમે ડિપ્રેશનમાં રહી શકો છો. વેપારમાં બેદરકાર ન રહો, તમારા લવ લાફઇની  ભૂલો તમને પરેશાન કરી શકે છે. તમારી કોઈ ભૂલને કારણે પરિવારમાં સંબંધો બગડી શકે છે.


 મીન-


મીન રાશિના લોકોએ નવરાત્રિના પહેલા દિવસે પોતાના ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. વેપારમાં ખૂબ સમજી વિચારીને રોકાણ કરો. આજે તમે મુસાફરી કરી શકો છો, તમે મુસાફરીમાં થતા ખર્ચને લઈને ચિંતિત રહેશો. તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીંતર તમારા સંબંધો બગડી શકે છે.ચૈત્ર નવરાત્રી 2024 1મો દિવસ: નવરાત્રીનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે, આ મા શૈલા પુત્રીની વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે છે.