Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો


 નવરાત્રિમાં માતાજીને થાળ ધરાવવા માટે આપ ફરાળી  જલેબી ઘરે બનાવી શકો છો. નવરાત્રિમાં મોટાભાગના લોકો ઉપવાસ કરતા હોય છે. જેથી આ પ્રસાદને ઉપવાસી પણ આરોગી શકે છે. તો ચાલો ફરાળી જલેબીની રેસીપી જાણીએ


 ફરાળી જલેબી માટે સામગ્રી



  • -50 ગ્રામ બટાકા

  • -0 ગ્રામ આરારૂટ

  • - કપ દૂધ

  • -50 ગ્રામ ખાંડ

  • 1 ચપટી કેસર

  • -ઘી (તળવા માટે)


રીત



  • - સૌથી પહેલા પાણીમાં ખાંડ અને કેસર ઉમેરીને એક તારની ચાસણી બનાવી લો.

  • - પહેલા  બટાકાને બાફી લો.  બાદ બટાટાની  છાલ ઉતારીને તેને ક્રશ કરી લો. તેમાં આરારૂટ પણ મિક્સ કરી દો.

  • - થોડું દૂધ મિક્સ કરીને જલેબીનું  ખીરું તૈયાર કરી લો.

  • - જલેબીનું ખીરું એક પાતળા કપડાંમાં અથવા પ્લાસ્ટિકની બેગમાં ભરી લો. પછી તેમાં નાનકડું કાણું કરી લો જેથી જલેબી બનાવી શકાય.

  • - હવે ઘી ગરમ કરી જલેબીના ખીરામાંથી ગોળ-ગોળ જલેબી બનાવીને તળી લો.

  • - પછી તેને ચાસણીમાં નાખો. જ્યારે જલેબી ચાસણી પી લે તો તેને માતાજીને ઘરાવો બાદ સૌને પ્રસાદરૂપે વહેંચો 


Navratri vrat recipes: નવરાત્રીની વ્રત દરમિયાન આ સ્વાદિષ્ટ બટાટા શકરપારાની રેસિપી કરો ટ્રાય


Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે.  કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે. નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન આરોગી શકાય તેવી ડિશીઝ વિશે વાત કરીએ.. નવરાત્રિ સૌથી લાંબુ ચાલતું પર્વ છે. આ દરમિયાન નવેય દિવસ ઉપવાસ કરવામાં આવે છે. તો આ દિવસે ઉપવાસ દરમિયાન સ્વાદની સાથે સ્વાસ્થ્ય પણ જળવાય રહે તેવી ડિશીઝને ડાયટમાં સામેલ કરવી જરૂરી છે. તો આપ પણ નવરાત્રિમાં ઉપવાસ કરી રહ્યાં હો તો આ ફરાળી રેસપી ટ્રાય કરો.


 મેંદાના કે ઘઉંના લોટના આપે શક્કરપારા ખાઘા હશે પરંતુ આજે અમને આપને ફરાળી સ્વાદિષ્ટ શક્કરપારાની રેસીપી જણાવી રહ્યાં છે. આપ બટાટામાંથી સ્વાદિષ્ટ શક્કરપારા બનાવી શકો છો. નવેય દિવસ આ ફૂડ આપને ગમે ત્યારે ક્રેવિંગ થાય ભૂખ લાગે ત્યારે ઉપયોગી થઇ શકે છે. 


બટાટાના સ્વાદિષ્ટી શક્કરપારા માટેની સામગ્રી


બટાટાના સ્વાદિષ્ટ શક્કરપારા બનાવવા માટે સૌથી પહેલા આ સામગ્રી તૈયાર કરો



  • બટાકા - 4 થી 5 નંગ

  • ફુદીનો પાવડર - 1  ચમચી 

  • જરૂર મુજબ બરછટ છીણેલા લાલ મરચાં

  • ઘઉંનો લોટ - 2 ચમચી 

  • મીઠું  સ્વાદ અનુસાર, 

  • તેલ - તળવા માટે



રેસીપી



સૌપ્રથમ બટેટાને છોલીને તેના જાડા લાંબા ટુકડા કરી લો. બે-ત્રણ પાણી બદલીને તેને ધોઈને સાફ કરો.



  • હવે તેને એકદમ ઠંડા બરફના પાણીમાં એકથી દોઢ કલાક સુધી પલાળી દો. ત્યારબાદ તેનું પાણી ગાળી લો અને તેને કપડા પર થોડી વાર માટે ફેલાવી દો.

  • તેના પર કોળુંના લોટને  છાંટીને તેને ગરમ તેલમાં તળી લો,  તેને ડીપ ફ્રાય કરો.  અને આછો સોનેરી થાય ત્યાં સુધી તેને તળો.

  • હવે તેના પર રોક મીઠું, બરછટ પીસેલું લાલ મરચું, ફુદીનો પાવડર છાંટવો.