Makar Sankranti 2023 Daan:મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીએ દર વર્ષે હર્ષોઉલ્લાસ સાથે મનાવાય છે. આ પર્વમાં દાનનું વિશેષ મહત્વ છે. રાશિનુસાર દાન કરવાથી જીવનમાં ખુશીઓનું આગમન થાય છે.


મેષ-મકરસંક્રાંતિના શુભ મુહૂર્તમાં મેષ રાશિના જાતકોએ જરૂરિયાતમંદોને ગોળ, મગફળી અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.


વૃષભઃ- વૃષભ રાશિના લોકોએ સૂર્યદેવની કૃપા મેળવવા માટે મકરસંક્રાંતિના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે સફેદ વસ્ત્ર, દહીં અને તલનું દાન કરો. આના કારણે સ્વાસ્થ્ય સારું રહે છે અને જો તેઓ કોઈ કાયદાકીય સમસ્યામાં ફસાયેલા હોય તો તેમાંથી મુક્તિ મળે છે.


 મિથુનઃ- મિથુન રાશિના લોકોએ મકરસંક્રાંતિના દિવસે મગની દાળ, ચોખા અને ધાબળાનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેઓ તેમના જીવનમાં આવનાર સંકટમાંથી મુક્તિ મેળવે છે અને આ દાન નોકરી અને વ્યવસાય માટે શુભ અને ફળદાયી છે.


 કર્કઃ- કર્ક રાશિના જાતકોએ આ દિવસે ચોખા, ચાંદી અને સફેદ તલનું દાન કરવાથી શુભ ફળ મળે છે. નોકરીમાં આવતા અવરોધોથી મુક્તિ મળે છે. ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે શુભ સમયે દાન કરવું શ્રેષ્ઠ છે.


 સિંહ – સિંહ રાશિના જાતકે તાંબુ અને ઘઉંનું દાન સંક્રાંતિમાં કરવું જોઇએ. આમ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને ચાલી રહેલા વિવાદોથી મુક્તિ મળે છે.


 કન્યા -- કન્યા રાશિના જાતકો દ્વારા મકરસંક્રાંતિના દિવસે ખીચડી, ધાબળા અને લીલા કપડાનું દાન કરવાથી તેમના જીવનનો તણાવ ઓછો થાય છે. સુખ-સમૃદ્ધિ વધે છે. કોઈ પણ જરૂરિયાતમંદ અથવા વ્યંઢળને શુભ સમયે દાન કરવાથી વિશેષ ફળ મળે છે.


 તુલા -- મકરસંક્રાંતિના દિવસે તુલા રાશિવાળા લોકોએ સફેદ હીરા, ખાંડ અને ધાબળાનું દાન જરૂરતમંદોને કરવું જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા વધે છે અને જીવનમાં સુખ-શાંતિ આવે છે.


વૃશ્ચિક - વૃશ્ચિક રાશિવાળા લોકોએ પોતાના જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે મકરસંક્રાંતિના દિવસે કોઈપણ જરૂરિયાતમંદ અથવા ગરીબ વ્યક્તિને પરવાળા, લાલ કપડા અને તલનું દાન કરવું જોઈએ. નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ માટે આ દાન વિશેષ લાભદાયી છે.


 ધન - મકરસંક્રાંતિના દિવસે ધનુ રાશિના લોકોએ પીળા કપડા, હળદર અને ગોળનું દાન કરવું જોઈએ. આમ કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ધન-ધાન્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.


 મકર- - મકર સંક્રાંતિના દિવસે સૂર્યને પ્રસન્ન કરવા અને જીવનમાં આશીર્વાદ મેળવવા માટે મકર રાશિના લોકોએ કાળો ધાબળો, તેલ અને તલનું દાન કરવું જોઈએ. જેના કારણે જીવનમાં પૈસાની કમી નથી રહેતી.


 કુંભ - પરિવારમાં સુખ અને સારા સ્વાસ્થ્યના આગમન માટે કુંભ રાશિના લોકો માટે સૂર્યને પ્રસન્ન કરવા અને સૂર્યની કૃપા મેળવવી માટે ખૂબ જ જરૂરી છે, મકરસંક્રાંતિના દિવસે કરવામાં આવેલું દાન વિશેષ ફળ આપે છે. કુંભ રાશિના લોકોએ આ દિવસે કાળું કપડું, અડદની દાળ, ખીચડી અને તલનું દાન કરવું જોઈએ.


 મીન - મકરસંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવાથી સફળતા મળે છે, ખાસ કરીને આ દિવસે મીન રાશિના લોકોએ રેશમી વસ્ત્ર, ચણાની દાળ, ચોખા અને તલનું દાન કરવું જોઈએ. તેનાથી સૂર્યની કૃપા મળે છે અને સાથે જ દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે