Shrawan: શ્રાવણમાં રાશિ અનુસાર કરો આ પ્રયોગ, ઇચ્છિત ફળની થશે પ્રાપ્તિ, જાણો મેષથી મીનના ઉપાય
Shrawan 2025: શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇ શુક્રવારથી થઇ રહ્યો છે. આ પાવન માસ મહાદેવને સમર્પિત છે. જાણીએ 12 રાશિનો ભાગ્યોદય કરતા રાશિનુંસાર 12 ઉપાય, કેવી રીતે મહાદેવને રિઝવશો

Shrawan 2025: મહાદેવનો પ્રિય એવો શ્રાવણ માસ 25 જુલાઇ શુક્રવારથી શરૂ થઇ રહ્યો છે. આ સમગ્ર માસ મહાદેવને સમર્પિત છે. આ અવસરે મહાદેવની પૂજા, સાધના, આરાધનનાનું વિશેષ મહાત્મ્ય છે. મહાદેવને જલાભિષેકથી લઇને જુદા જુદા પદાર્થથી અભિષેક કરવામાં આવે છે. તો રાશિ મુજબ જાણીએ કે, મહાદેવને રિઝવવવા મેષથી મીન રાશિના જાતકે શું કરવું
મેષઃ આ રાશિના લોકોએ ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. પૂજામાં નાગકેસર અને ધતુરાના ફૂલ ચઢાવો અને સમગ્ર શ્રાવણમાં નાગેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરો.
વૃષભ રાશિ: વૃષભ રાશિના લોકોએ ભગવાન શિવને અત્તર અથવા સુગંધિત તેલનો અભિષેક કરવો જોઈએ. ભગવાનને ચમેલીના ફૂલ અને અબીર અર્પણ કરો અને રૂદ્રાષ્ટકનો પાઠ કરો.
મિથુનઃ મિથુન રાશિના લોકો શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરે તો તે શુભ રહેશે. ઉપરાંત, ભગવાન શિવને ધતુરા અને ભાંગ અર્પણ કરવી અને "ઓમ નમઃ શિવાય" ની એક માળાનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે.
કર્કઃ કર્ક રાશિવાળા લોકોએ શિવલિંગ પર ભાંગ મિશ્રિત દૂધનો અભિષેક કરવો જોઈએ અને રુદ્રાષ્ટાધ્યાયીનો પાઠ કરવો જોઈએ. તેમજ આ રાશિના જાતકોએ આખા શ્રાવણ દરમિયાન મહાદેવના “બાર નામ”નું સ્મરણ કરવું જોઈએ, તે શુભ રહેશે.
સિંહ: આ રાશિના જાતકોએ ભગવાન શિવને ગોળના જળથી અભિષેક કરવો શ્રેષ્ઠ રહેશે. શ્રાવણ મહિના દરમિયાન, ભગવાન શિવને કનેર ફૂલ અર્પણ કરો અને શિવ મંદિરમાં રૂદ્રાક્ષની માળા સાથે દરરોજ 108 વખત શિવ ચાલીસા અને "ઓમ નમઃ શિવાય" નો જાપ કરો. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવશે.
કન્યાઃ- કન્યા રાશિના લોકોએ શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બેલપત્ર, ધતુરા, ભાંગ ચઢાવો અને “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરો. ઉપરાંત, જો તમે દરરોજ "શિવ-ચાલીસા" નો પાઠ કરો છો, તો તે ફાયદાકારક રહેશે.
તુલા: આ રાશિના જાતકોએ શમી પત્ર અર્પણ કરવું જોઈએ અને પાણી અને સાકર મિશ્રિત દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ અને શિવના સહસ્ત્રનામનો જાપ કરવો જોઈએ અને “શિવાષ્ટક”નો પાઠ કરવો જોઈએ, તેમને ઈચ્છિત ફળ મળશે.
વૃશ્ચિક: તમારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. ભોલેનાથને વાદળી કમળનું ફૂલ અને બિલ્વપત્ર મૂળ અર્પણ કરો અને દરરોજ રૂદ્રાષ્ટકનો પાઠ કરો. તેમજ જો આ રાશિના લોકો આખા શ્રાવણ માસ દરમિયાન “ઓમ મહા મમલેશ્વરાય નમઃ” મંત્રનો જાપ કરે તો તેમને શનિની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.
ધન: ધન રાશિના લોકોએ સવારે દૂધમાં કેસર મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો.. શમી પત્ર અને પીળા ફૂલ ચઢાવો, પ્રસાદ તરીકે ખીર ચઢાવો અને શિવાષ્ટકનો પાઠ કરો. શનિની પરેશાનીઓથી મુક્તિ મળશે.
મકર: મકર રાશિવાળા લોકોએ શિવલિંગ પર જળ ચઢાવવું જોઈએ, ધતુરા, ફૂલ, અષ્ટગંધ અર્પણ કરવું જોઈએ અને શાંતિ અને સમૃદ્ધિ માટે 108 વાર “પાર્વતીનાથાય નમઃ” મંત્રનો જાપ કરવો જોઈએ. આ સિવાય જો તમે શિવ ચાલીસાનો પાઠ કરશો તો તે શુભ રહેશે.
કુંભ: કુંભ રાશિના લોકોએ પાણીમાં મધ મિક્સ કરીને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બિલ્વના પાન ચઢાવો અને "ઓમ નમઃ શિવાય" અને શિવાષ્ટકનો પાઠ કરો, તમને આર્થિક લાભ થશે.
મીનઃ મીન રાશિવાળા લોકોએ શ્રાવણ માસ દરમિયાન શિવલિંગ પર પંચામૃત, દહીં, દૂધ અને પીળા ફૂલ અર્પિત કરવા જોઈએ અને પંચાક્ષરી મંત્ર “નમઃ શિવાય” નો 108 વાર ચંદનની માળાથી જાપ કરવાથી ધનમાં અપાર વૃદ્ધિ થશે.




















