pitru dosha remedies at home: જો તમારી કુંડળીમાં પિતૃ દોષ કે કાલસર્પ દોષ છે, તો જીવનમાં સતત સંઘર્ષ, કામમાં રુકાવટ અને માનસિક અશાંતિનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી! ભગવાન શિવ કે જેઓ સ્વયં 'મહાકાલ' છે અને જેમના ગળામાં સાપ બિરાજે છે, તેમની પૂજા કરવાથી આ બંને મોટા દોષ સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. શિવજીના કેટલાક ખાસ અને ચમત્કારિક મંત્રો, સાચી પૂજા પદ્ધતિ અને ઘરમાં કરી શકાય તેવા એકદમ સરળ 5 ઉપાયો અપનાવીને તમે આ દોષોમાંથી મુક્તિ મેળવી શકો છો અને જીવનની બધી જ અડચણોને કાયમ માટે દૂર કરી શકો છો. ચાલો વિગતવાર જાણીએ આ ખાસ મંત્રો અને ઉપાયો વિશે.

Continues below advertisement

કાલસર્પ દોષ: લક્ષણો, મંત્ર અને પૂજાની રીત

રાહુ અને કેતુ જ્યારે કુંડળીમાં બધા ગ્રહોને ઘેરી લે છે ત્યારે આ દોષ બને છે. જો તમને સપનામાં વારંવાર સાપ દેખાવા, ઊંચાઈ પરથી પડવાનો ડર લાગવો, સખત મહેનત છતાં નોકરીમાં પ્રમોશન ન મળવું, અચાનક મોટું નુકસાન થવું કે લગ્નજીવનમાં સતત ખટરાગ રહેતો હોય તો આ કાલસર્પ દોષના મુખ્ય લક્ષણો છે.

Continues below advertisement

આ દોષ દૂર કરવા સોમવાર, અમાવસ્યા કે નાગપંચમીના દિવસે પૂજા કરવી તરત ફળ આપે છે.

ખાસ મંત્ર:

ઓમ નવકુલાય વિદ્મહે વિષદંતાય ધીમહિ તન્નો સર્પઃ પ્રચોદયાત (આ સર્પ ગાયત્રી મંત્ર છે)

બીજો મંત્ર: ઓમ નમઃ શિવાય રાહવે કેતવે નમઃ

પૂજા પદ્ધતિ: સવારે સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી શિવ મંદિરે જાવ. તાંબા અથવા ચાંદીના નાગ-નાગણની જોડી શિવલિંગ પર અર્પણ કરો. શિવલિંગ પર ધીમી ધારે જળાભિષેક કરતા કરતા ઉપર આપેલા મંત્રની 108 વાર (એક માળા) જાપ કરો. પૂજા પૂરી થયા પછી નાગ-નાગણની જોડી વહેતા પાણીમાં પધરાવી દો અથવા મંદિરના પૂજારીને દાનમાં આપી દો.

આ પણ વાંચોઃ Shani Vakri 2026: 9 ઓક્ટોબર સુધી શનિની વક્રી ગતિ, આ 5 રાશિઓની વધશે મુશ્કેલીઓ

પિતૃ દોષ: મંત્ર અને પૂજા પદ્ધતિ

જ્યારે ઘરમાં પૂર્વજોના આત્માઓને શાંતિ નથી મળતી ત્યારે કુંડળીમાં પિતૃ દોષ લાગે છે. આના નિવારણ માટે મહાદેવના 'રુદ્ર' સ્વરૂપ અને પિતૃઓની સંયુક્ત પૂજા થાય છે.

ખાસ મંત્ર:

ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત (આ શિવ ગાયત્રી મંત્ર છે, જે પિતૃઓને મુક્તિ આપે છે)

મહામૃત્યુંજય મંત્ર:

ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધીં પુષ્ટિવર્ધનમ્ ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્

પૂજા પદ્ધતિ: આ દોષ માટે બપોરે કે સાંજના સમયે (પ્રદોષ કાળ) પૂજા શ્રેષ્ઠ છે. ઘરની દક્ષિણ દિશામાં કે શિવ મંદિરમાં આસન પાથરી બેસો. સામે પાણીના કળશમાં કાળા તલ અને ગંગાજળ નાખીને રાખો. મહાદેવના રુદ્ર સ્વરૂપનું ધ્યાન ધરીને મંત્રની 1, 3 અથવા 5 માળા કરો. ત્યારબાદ આ કળશનું પાણી પીપળાના ઝાડના મૂળમાં અર્પણ કરી દો, કારણ કે પીપળાને પિતૃઓનો વાસ મનાય છે.

આ પણ વાંચોઃ હથેળીમાં આ ખાસ જગ્યાએ તલ હોવું ખૂબ જ શુભ; જીવનભર ક્યારેય નહીં થાય પૈસાની તંગી!

પિતૃ દોષ શાંત કરવાના 5 સરળ અને વિનામૂલ્યે ઉપાયો

શાસ્ત્રો મુજબ પિતૃઓ પૈસાના ભૂખ્યા નથી, પણ માત્ર ભાવ અને શ્રદ્ધાના ભૂખ્યા છે. તમે કોઈ પણ મોટા ખર્ચ વગર તેમને ઘરમાં જ શાંત કરી શકો છો:

દક્ષિણ દિશામાં દીવો: રોજ સાંજે ઘરની દક્ષિણ દિશામાં (પિતૃઓની દિશામાં) મુખ રાખીને સરસવના તેલનો દીવો પ્રગટાવો.

પાણીયારે દીવો: રસોડામાં જ્યાં પીવાનું પાણી રાખતા હોય (માટલું કે ફિલ્ટર) ત્યાં રોજ સાંજે ઘીનો નાનો દીવો કરો અને ત્યાં સ્વચ્છતા જાળવો.

કાળા તલનું તર્પણ: રોજ સવારે તાંબાના લોટામાં પાણી અને થોડા કાળા તલ નાખીને દક્ષિણ દિશા તરફ મુખ રાખી જમીન પર કે ફૂલ-છોડના કુંડામાં અર્પણ કરો.

પંચબલી ભોગ: દર અમાસના દિવસે અથવા રોજ રસોઈ કરતી વખતે પહેલી રોટલીના ટુકડા કરી ગાય, કૂતરા, કાગડા, પક્ષીઓ અને કીડીઓને ખવડાવો.

વડીલોનું સન્માન: રોજ ઘરમાં રહેલા જીવિત વડીલો અને માતા-પિતાને પગે લાગો. તેમનું સન્માન કરવાથી પિતૃઓ આપોઆપ પ્રસન્ન થાય છે.

મંત્ર જાપ કરતી વખતે ધ્યાનમાં રાખવાના જરૂરી નિયમો

કોઈપણ આધ્યાત્મિક પૂજાની સફળતા તેની પવિત્રતા પર રહેલી છે.

રુદ્રાક્ષની માળા: એકાગ્રતા જાળવવા શિવજીના મંત્રોનો જાપ હંમેશા રુદ્રાક્ષની માળાથી જ કરવો અને તેને ગોમુખી (કપડાં)માં ઢાંકીને જ રાખવી.

યોગ્ય દિશા: કાલસર્પ દોષ માટે પૂર્વ કે ઉત્તર તરફ અને પિતૃ દોષની શાંતિ માટે દક્ષિણ કે પૂર્વ તરફ મુખ રાખીને જાપ કરવો શ્રેષ્ઠ છે.

શુદ્ધતા: જે દિવસે તમે આ ખાસ મંત્રોના જાપ કરતા હોય, તે દિવસે તમારો ખોરાક સાત્વિક હોવો જોઈએ. ડુંગળી, લસણ, માંસ કે દારૂથી સાવ દૂર રહેવું.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારી પર આધારિત છે. કોઈપણ ઉપાય અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાત કે જ્યોતિષાચાર્યની સલાહ અચૂક લેવી.