Shani Amavasya 2022: ઓગસ્ટ 2022 ના રોજ ભાદરવાની અમાવસ્યા પર, શનિશ્ચરી અમાવસ્યાનો યોગ બની રહ્યો છે. જાણો શનિ અમાવસ્યા પર શું ન કરવું જોઈએ.


27 ઓગસ્ટ, 2022 ના રોજ, ભાદરવાની અમાવાસ્યા પર, શનિ અમાવસ્યા 2022 નો યોગ બની રહ્યો છે. જ્યારે અમાવસ્યા તિથિ શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે. 14 વર્ષ બાદ ભાદોની અમાવાસ્યાના દિવસે શનિ અમાવસ્યાનો સંયોગ બની રહ્યો છે. ખાસ વાત એ છે કે આ દિવસે શનિ પોતાની રાશિ મકર રાશિમાં રહેશે. શનિદેવના પ્રકોપથી બચવા માટે આ સંયોગ ખૂબ જ ખાસ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર આ દિવસે કેટલાક કામ કરવા વર્જિત મનાય છે.. ચાલો જાણીએ શનિ અમાવસ્યા 2022 પર શું ન કરવું જોઈએ.


શનિ અમાવસ્યા તિથિ



  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ શરૂ થાય છે - 26 ઓગસ્ટ 2022, 12:23 મિનિટથી

  • ભાદ્રપદ શનિશ્ચરી અમાવસ્યા તારીખ સમાપ્ત થાય છે - 27 ઓગસ્ટ 2022, બપોરે 01:46 કલાકે


શનિ અમાવસ્યામાં શું  ન કરશો


શનિ અમાવસ્યા પર શનિદેવની પૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે શનિદેવના મંદિરમાં તેમને સરસવનું તેલ ચઢાવો, પરંતુ ધ્યાન રાખો કે મંદિરથી પાછા ફરતી વખતે શનિદેવને તમારી પીઠ ન બતાવો. કહેવાય છે કે આમ કરવું અશુભ છે.


શનિશ્ચરી અમાવસ્યા પર શનિદેવની પૂજા દરમિયાન, તેમની સાથે તમારી આંખો ન મેળવો કારણ કે તેમની દ્રષ્ટિ પ્રતિકૂળ માનવામાં આવે છે. નેત્ર નમાવીને શનિદેવની પૂજા કરો. શનિદેવનો શ્રાપ છે કે તે જેના પર નજર નાખશે તેનું જીવન પરેશાનીઓમાં પસાર થશે. આ જ કારણ છે કે પૂજા દરમિયાન તેમની સાથે દ્રષ્ટિ સીધી રીતે  ન મેળવવી.


શનિવારે નખ, વાળ અને દાઢી કાપવી અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિ દોષ થાય છે, તેથી શનિ અમાવસ્યા પર આ કામ કરવું વર્જિત છે.


નિરાધાર લોકોની મદદ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે, જો શનિ અમાવસ્યા પર કોઈ અસહાય વ્યક્તિ મદદ માંગે તો તેને નકારશો નહીં. તમારી ક્ષમતા અનુસાર તેને મદદ કરો.


ખરાબ કાર્યો કરનારાઓને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે, તેથી શનિ અમાવસ્યાના દિવસે ભૂલથી પણ માતા-પિતા, ગુરુ, વડીલ, સ્ત્રીનું અપમાન ન કરવું. જે લોકો આવું કરે છે તેમને ભવિષ્યમાં શનિદેવની અશુભ અસરનો સામનો કરવો પડે છે.


 Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો