Shani Dev:શનિ શાંત અને પ્રસન્ન મુદ્રામાં રહે તે જરૂરી છે. જો શનિ ગુસ્સે થાય છે, તો તે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ અને પરેશાનીઓ માજા મૂકે છે.  શનિદેવની અવકૃપા  રાતોની ઊંઘ હરી લે છે. એટલા માટે શનિદેવની કૃપા ખૂબ જ મહત્વપૂર્ણ કહેવાય છે.


લોકો શનિથી કેમ ડરે છે?


જ્યોતિષમાં શનિદેવને ન્યાયનો કારક માનવામાં આવે છે. જ્યોતિષ ગ્રંથો અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, શનિ કળિયુગના ન્યાયાધિશ છે. એટલે કે, તેઓ ન્યાય કરનાર માનવામાં આવે છે. મનુષ્યના કર્મોનું ફળ શનિદેવ જ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે તો શનિ તેને સખત સજા આપે છે. શનિની દશા, મહાદશા, અંતર્દશા, સાડા સતી અને શનિની દશા આથી પરેશાનીકારક માનવામાં આવે છે. કારણ કે શનિ આ સ્થિતિમાં મનુષ્યના ખોટા કાર્યોનું ફળ આપે છે. તેથી જ લોકો શનિના નામથી જ ડરી જાય છે


શું શનિ પણ શુભ ફળ આપે છે?


હા, શનિ માત્ર અશુભ પરિણામ આપે છે, એવું નથી. શનિ જ્યારે શુભ હોય ત્યારે ખૂબ જ શુભ ફળ આપે છે. જો શનિ શુભ હોય તો વ્યક્તિને ઉચ્ચ પદ, સંપત્તિ અને સન્માન મળે છે. શુભ થવા પર શનિ મહારાજ વાહન, મકાન વગેરેનું સુખ પણ આપે છે અને વિદેશ પ્રવાસ પણ કરાવે છે. એટલા માટે આ વાત મનમાંથી કાઢી નાખવી જોઈએ કે શનિ જ અશુભ ફળ આપે છે.


શનિદેવને કેવી રીતે ખુશ રાખશો


શનિદેવને ખુશ રાખવા માટે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. શનિ એ ગ્રહ છે જે નિયમો અને અનુશાસનનો આગ્રહી  છે. જે લોકો નિયમોનું પાલન નથી કરતા, શનિ તેમને માફ કરતા નથી અને તેમની સ્થિતિ વગેરેમાં મુશ્કેલી આપે છે. જે લોકોની કુંડળીમાં શનિ અશુભ હોય છે અથવા તો શનિદેવના કારણે પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે તેમના માટે પોષ મહિનાનો પહેલો શનિવાર ખૂબ જ શુભ બની રહ્યો છે. આ દિવસે શનિદેવની કૃપા મેળવવા શું કરોશ આવો  જાણીએ-


શનિવારે ધાબળાનું દાન કરો. શાસ્ત્રોમાં શનિના જે દાનની ચર્ચા કરવામાં આવી છે, તેમાં કાળો ધાબળો પણ છે. એવું માનવામાં આવે છે કે, કાળો ધાબળો દાન કરવાથી શનિ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું દાન કરવું જોઈએ. તેનાથી જીવનમાં આવતા અવરોધો દૂર થાય છે.


શનિ અશુભ ફળ આપે છે કેવી રીતે જાણશો ?



  • જીવનમાં બનતી નકારાત્મક ઘટના શનિદેવના અશુભ ફળના સંકેત આપે છે.

  • પ્રેમ સંબંધોમાં અવરોધો આવે છે

  • પ્રેમ સંબંધમાં  બ્રેકઅપનો વારંવાર સામનો કરવો પડે છે.

  • પૈસાની તંગી રહે. કર્જ  વધવા લાગે છે.

  • મહત્વના કામોમાં અડચણ આવતી રહે.

  • માનસિક તાણની સ્થિતિ જળવાઈ રહે.

  • ઓફિસમાં પિતા કે બોસ સાથે સંબંધ સારા નથી રહેતા.

  • ધંધામાં મહેનત કર્યા પછી પણ ઈચ્છિત સફળતા મળતી નથી.

  • હરીફો કે દુશ્મનો તમને પરેશાન કરતા રહે છે.

  • શિક્ષણમાં અડચણ આવે છે.

  • ગંભીર રોગો ઘેરી વળે છે.

  • અજાણ્યાનો ભય સતાવે છે.

  • આળસના કારણે કામ અધૂરા રહે.


મહત્વપૂર્ણ બાબતો યાદ રાખો


જો તમારે શનિદેવને ખુશ રાખવા હોય તો તમારે બીજાની ટીકા ન કરવી જોઈએ. તેની સાથે આ વાતો યાદ રાખો-



  • પૈસાનો ઉપયોગ બીજાને નુકસાન પહોંચાડવા માટે ન કરો.

  • મહેનત કરનારાઓને ક્યારેય હેરાન ન કરો.

  • તમારા પૈસા અને પદનો દુરુપયોગ ન કરો.

  • પ્રકૃતિને ક્યારેય નુકસાન ન કરો.

  • હંમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.

  • ગંભીર બીમારીથી પીડિત લોકોની સેવા કરો.

  • કલ્યાણના કાર્યોમાં રસ લેવો જોઈએ.

  •