Shani Asta 2025: ન્યાયના દેવતા શનિદેવ મહારાજ આજે પોતાનો માર્ગ બદલવા જઈ રહ્યા છે. શનિ અત્યારે કુંભ રાશિમાં બેઠો છે, શનિ આજે કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે. શનિ અસ્ત થઈ રહ્યો છે અને કેટલીક રાશિઓ માટે શુભ પરિણામ લાવી રહ્યો છે, જ્યારે કેટલીક રાશિના જાતકોને પરેશાનીઓનો સામનો પણ કરવો પડી શકે છે.
શનિ અષ્ટ 2025
28 ફેબ્રુઆરી શુક્રવારના રોજ સાંજે 7.06 કલાકે શનિનો અસ્ત થશે.
8 એપ્રિલ 2025ના રોજ સવારે 5.03 કલાકે શનિનો ઉદય થશે.
આ સમયગાળા દરમિયાન, શનિ કુલ 40 દિવસ સુધી અસ્તિત રહેશે.
શનિનું ગોચર 2025
2025ના માર્ચ મહિનામાં શનિનું ગોચર થવા જઈ રહ્યું છે. 29 માર્ચે શનિ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. એટલે કે શનિ ગોચર પહેલા શનિ અસ્ત થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન શનિદેવ કોઈને પરેશાન ન કરે તે માટે કેટલાક ઉપાય કરવા ખૂબ જ જરૂરી છે, જેથી શનિદેવ પ્રસન્ન રહે.
શનિદેવ માટેના ઉપાય
શનિવારે શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરો.
શનિ મંદિરમાં જઈને શનિદેવને તલ અથવા સરસવનું તેલ ચઢાવો.
શનિદેવના મંત્ર "ઓમ શન શનૈશ્ચરાય નમઃ" નો જાપ કરો.
શનિ ચાલીસાનો પાઠ કરો.
શનિવારે પીપળના વૃક્ષની પૂજા અવશ્ય કરો અને સાંજે તેના પર દીવો કરો.
શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવો.
જરૂરિયાતમંદોની સેવા કરો, શનિવાર હોય તે જરૂરી નથી, તમે ગમે ત્યારે ગમે તે દિવસે કરી શકો છો.
શનિદેવના 108 નામનો જાપ કરો.
ન્યાયના દેવતા શનિદેવની કૃપા હંમેશા તેમના ભક્તો પર બની રહે છે. શનિદેવ હંમેશા સારા કાર્યો અને સારા આચરણવાળા લોકો પર પોતાની કૃપા બનાવી રાખે છે. તેથી શનિ અસ્ત દરમિયાન આ ઉપાયો કરો અને શનિ મહારાજના આશીર્વાદ મેળવો.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો