Saturn Transit:પંચાગ અનુસાર આવતા વર્ષે એટલે કે વર્ષ 2023માં શનિની રાશિ બદલાવાની છે. 17 જાન્યુઆરી, 2023 ના રોજ, શનિ મકર રાશિમાંથી કુંભ રાશિમાં જશે.. પંડિત સુરેશ શ્રીમાળી અનુસાર, 30 વર્ષ પછી શનિદેવ તેમની મૂળ રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ દર અઢી વર્ષે પોતાની રાશિ બદલે છે. આ રીતે, તેમને તેમનું રાશિચક્ર પૂર્ણ કરવામાં 30 વર્ષનો સમય લાગે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને સૌથી ધીમી ગતિનો ગ્રહ માનવામાં આવે છે. શનિને ક્રૂર ગ્રહ માનવામાં આવે છે.


કઇ રાશિમાં શરૂ થશે સાડાસાતી


જ્યોતિષીઓનું કહેવું છે કે, લગભગ 30 વર્ષ પછી શનિદેવ પોતાની મૂળ રાશિ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. શનિનો કુંભ રાશિમાં પ્રવેશ થતાં જ કુંભ, મકર અને મીન અને કર્ક અને વૃશ્ચિક રાશિ પર શનિની પનોતી શરૂ થશે.


કુંભ રાશિમાં શનિનું ગોચર કઇ રાશિ માટે નુકસાનકારક


કુંભમાં શનિનું ગોચર  કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર શનિની પનોતી શરૂ થશે. જેના પ્રભાવથી આ રાશિના જાતકોને પૈસા અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. શનિ ધનથી પીડિત રાશિના જાતકોને આર્થિક, માનસિક અને શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘર- પરિવારની સુખ-શાંતિમાં ખલેલ કે ઘટાડો થઈ શકે છે. આ બંને રાશિના વતનીઓ કે જેઓ શનિની પનોતીથી  પ્રભાવિત છે. તેઓને નોકરી અને વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. તેમની નોકરીમાં મુશ્કેલી આવી શકે છે અથવા તેમને નોકરી છોડવી પડી શકે છે. વેપારમાં નુકસાન થઈ શકે છે અથવા નફો ઓછો થઈ શકે છે. આવકમાં ઘટાડો થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ ખરાબ થઈ શકે છે. એટલા માટે તેઓએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.


શું તમે ઘરમાં લઇ આવ્યા છો કાંટાળો છોડ? તો જાણો તેના લાભ- ગેરલાભ


Vastu Tips For Plants: વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ-છોડનું એક ખાસ મહત્વ હોય છે. વૃક્ષ- છોડ ઘરમાં સકારત્મક અને નકારાત્મક  ઉર્જા લાવે છે. જેને લીધે ઘરમાં વૃક્ષ- છોડ લાવતા અથવા વાવતા પહેલા ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ- છોડ બાબતે અનેક નિયમો જણાવવામાં આવ્યા છે. જો કે ઘણા લોકોને આ વિશે પુરતી જાણકારી હોતી નથી જેથી તેઓ ગમે તે વૃક્ષ કે છોડ ઘરે લઈ આવે છે. જેના લીધે તેઓને અનેક સમસ્યાનો સામનો પણ કરવો પડતો હોય છે.


ઘરમાં ના લગાવો કાંટાવાળો છોડ


વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં કાંટાવાળો છોડ લગાવવો જોઈએ નહી. ઘરમાં કૈક્ટસ અને નાગફની જેવા છોડ લાગવવા જોઈએ નહી. આ છોડ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. તેને ઘરમાં લગાવવાથી તમારું સુખ ચેન જતું રહે છે. જે ઘરમાં કાંટાવાળા વૃક્ષ કે છોડ હોય છે તેના પર દુશ્મનોની ખરાબ નજર મંડરાયેલી જ હોય છે. આ ઘરના લોકોમાં એક ભય હોય છે. જેના લીધે વાસ્તુ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરમાં ક્યારેય કાંટાળા વૃક્ષ કે છોડ લાવવા જોઈએ નહી


ઘરમાં આ છોડ પણ ના લાવો









Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.