Surya Gochar 2025: ગ્રહોનો રાજા અને સૌર મંગળનો સૌથી મોટો ગ્રહ, સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. પરંતુ સૂર્યનું સિંહ રાશિમાં આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે સૂર્ય આ રાશિનો સ્વામી છે. એવું કહેવાય છે કે જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિમાં હોય છે, ત્યારે તે ખૂબ જ મજબૂત સ્થિતિમાં હોય છે.
17 ઓગસ્ટ 2025ના રોજ સૂર્યનું ગોચર સિંહ રાશિમાં થયુ છે. આ દિવસ સિંહ સંક્રાંતિ તરીકે ઉજવવામાં આવશે. 17 ઓગસ્ટના રોજ સૂર્ય કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને 17સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. જ્યોતિષની દ્રષ્ટિએ આ ગોચર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
સિંહ રાશિમાં સૂર્યનું ગોચર કેવી રીતે શુભ હોય છે?
અઠવાડિયાના જુદા જુદા દિવસો વિવિધ દેવી-દેવતાઓને સમર્પિત હોય છે. રવિવાર સૂર્યનો દિવસ છે. આવી સ્થિતિમાં, આ દિવસે સૂર્યની ઉર્જા વધુ અસરકારક હોય છે. જ્યારે રવિવારે સૂર્ય પોતાની રાશિ (સિંહ) માં પ્રવેશ કરે છે, ત્યારે આ સ્થિતિ રાજયોગ જેવી માનવામાં આવે છે.
ખાસ કરીને જેમની કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત હોય છે, તેમને આ સમયગાળા દરમિયાન ઉન્નતિ, બઢતી અને સન્માનના શુભ પરિણામો મળે છે.
સિંહ રાશિમાં સૂર્યની સ્થિતિ સૌથી મજબૂત માનવામાં આવે છે, જે વ્યક્તિના આત્મવિશ્વાસ, આદર, નેતૃત્વ ક્ષમતા વગેરે પર સકારાત્મક અસર કરે છે. સિંહ રાશિમાં સૂર્યની હાજરીમાં સૂર્યની ઉર્જા વધુ અસરકારક બને છે. જેના કારણે આ ગોચર વિવિધ લગ્ન અને રાશિ ચિહ્નો માટે પણ સકારાત્મક પરિણામો લાવે છે
લગ્ન અથવા રાશિનુંસાર સૂર્ય ગોચરનો પ્રભાવ
મેષ (પાંચમું ઘર)- નેતૃત્વ કૌશલ્યમાં વધારો અને કાર્યસ્થળમાં લાભ
વૃષભ (ચોથું ઘર)- મજબૂત ભાગ્ય, સંપત્તિમાં વધારો
મિથુન (ત્રીજું ઘર)- ટૂંકી યાત્રાઓ અને સ્થાન પરિવર્તનની શક્યતા
કર્ક (બીજું ઘર)- કૌટુંબિક તણાવ
સિંહ (લગ્ન ઘર)- આત્મવિશ્વાસ, કારકિર્દીમાં સફળતા, માન-સન્માન
કન્યા (બારમું ઘર)- બિનજરૂરી મુસાફરી, ખર્ચ અને તણાવમાં વધારો
તુલા (અગિયારમું ઘર)- સામાજિક સન્માન, મિત્રો તરફથી સહયોગ
વૃશ્ચિક (દસમું ઘર)- કારકિર્દીમાં સફળતા અને માન-સન્માનમાં વધારો
ધનુ (નવમું ઘર)- વિદેશ યાત્રા, ઉચ્ચ શિક્ષણમાં સફળતા
મકર (આઠમું ઘર)- સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતોમાં સમસ્યાઓ
કુંભ (સાતમું ઘર)- નાણાકીય ખર્ચમાં વધારો
મીન (છઠ્ઠું ઘર)- માનસિક તણાવમાં વધારો અને આત્મવિશ્વાસમાં ઘટાડો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો