Sharwan Month 2025:  મહાદેવને સમર્પિત શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇ શ્રાવણ સુદ એકમથી થશે અને 23 ઓગસ્ટ શનિવારે શ્રાવણ વદ અમાસે   સમાપ્ત થશે. શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે તેવી જ રીતે સાતેય વાર પણ કોઇને કોઇ દેવતાને સમર્પિત છે. સોમવાર મહાદેવનો વાર કહેવાય છે. જેથી મહાદેવના સાધના આરાધનાના શ્રાવણ માસમાં જ્યારે સોમવાર આવે છે તો તેનું મહત્વ વિશેષ હોય છે. આ વર્ષે 2025માં 4 સોમવાર આવશે. આ શ્રાવણ માસ અન્ય તહેવારથી પણ ભરપૂર હોય છે, આ માસમાં રક્ષાબંધન સહિત અનેક પર્વ આવે છે. જેની યાદી જોઇએ                                                                         

શ્રાવણ માસમાં આવતા પર્વ

  • 28 જુલાઇ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
  • 4 ઓગસ્ટ બીજો શ્રાવણ માસનો બીજો સોમવાર
  • 9 ઓગસ્ટ શનિવારે રક્ષા બંધન (શ્રાવણી પૂનમ)
  • 11 ઓગસ્ટ સોમવાર  (શ્રાવણનો ત્રીજો સોમવાર)
  • 13 ઓગસ્ટ બુધવાર નાગપંચમી
  • 14 ઓગસ્ટ ગુરૂવાર રાંઘણછઠ્ઠ
  • 15 ઓગસ્ટ શુક્રવાર સ્વતંત્ર દિવસ, શીતળા સાતમ, પારસીનું નવ વર્ષ
  • 16 ઓગસ્ટ શનિવારે (કૃષ્ણ જન્માષ્ટમી)
  • 17 ઓગસ્ટ  રવિવાર  નૌમ
  • 18 ઓગસ્ટ સોમવાર શ્રાવણ દસમ (શ્રાવણનો ચોથો સોમવાર)
  • 19 મંગળવાર અગિયાર
  • 20 બુધવાર શ્રાવણ વદ બારસ (પર્યુષણનો પ્રારંભ)
  • 23 ઓગસ્ટ શનિવારે શ્રાવણનો અંતિમ દિવસ  (શ્રાવણ વદ અમાસ)
  • વર્ષ 2025માં રક્ષાબંધન કયારે
  • હિન્દુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધન 2025માં 9 ઓગસ્ટ  શનિવારે  ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટ 2025ના રોજ  2;12 વાગ્યો શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ બપોરે 1 :24 વાગ્યે સમાપ્ત થશે.
  • રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત
  • હવે ચાલો જાણીએ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયો છે? રક્ષાબંધનના દિવસે એટલે કે શનિવાર, 9 ઓગસ્ટ 2025 ના રોજ, રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત સવારે 5:47 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1:24 વાગ્યા સુધી ચાલુ રહેશે.
  • ભદ્રા કાળની અસર
  • હિન્દુ માન્યતાઓમાં, ભદ્રા કાળ દરમિયાન શુભ કાર્ય કરવું નિષેધ માનવામાં આવે છે, અને આ સમય દરમિયાન રાખડી બાંધવી પણ અશુભ માનવામાં આવે છે. સારી વાત એ છે કે 2025 માં, ભદ્રાનો રક્ષાબંધન પર લગભગ કોઈ પ્રભાવ પડશે નહીં. ભદ્રા કાળ 9 ઓગસ્ટના રોજ સૂર્યોદય પહેલા સમાપ્ત થશે, જેનો અર્થ છે કે બહેનો કોઈપણ ચિંતા વિના દિવસભર રાખડી બાંધી શકે છે.