Navratri Totke:નવરાત્રિમાં કપૂરના ઉપાયો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દેવીની પૂજા સિવાય કપૂરની યુક્તિઓ વ્યક્તિની દરેક સમસ્યા દૂર કરે છે. આવો જાણીએ નવરાત્રિમાં કપૂરનો ઉપાય  કેવી રીતે કરવો

Continues below advertisement

લાખ પ્રયત્નો પછી પણ કામમાં સફળતા નથી મળી રહી, જો કોઈ અડચણ આવે તો નવરાત્રિ દરમિયાન ચાંદીના પાત્રમાં કપૂર અને લવિંગ સળગાવીને આખા ઘરમાં ફેરવો. નવ દિવસ સુધી આ ટ્રિક અજમાવો. એવું માનવામાં આવે છે કે આનાથી તમામ અવરોધો દૂર થશે.

નવરાત્રિમાં કપૂરથી માતાની આરતી કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. નવ દિવસ સુધી સવારે આખા ઘરમાં કપૂર ફેરવો અને દેવી લક્ષ્મીની આરતી કરો. એવું માનવામાં આવે છે કે, આ પ્રયોગથી ધનધાન્યમાં વૃદ્ધિ થશે. .

Continues below advertisement

પૈસા હાથમાં નથી, બિનજરૂરી ખર્ચ થઈ રહ્યા છે અથવા લાંબા સમય સુધી ધન મળવાની સંભાવના નથી તો નવરાત્રિ દરમિયાન ગુલાબના ફૂલમાં કપૂર સળગાવીને માતા દુર્ગાને અર્પણ કરો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓનો અંત આવશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે.

 જો ગંભીર બીમારીઓએ તમને ઘેરી લીધા હોય, તો  સારવાર બાદ પણ જો તમને કોઈ હકારાત્મક પરિણામ ન દેખાય તો પાણીમાં કપૂરના તેલના બે ટીપા નાખીને સ્નાન કરો. કહેવાય છે કે આનાથી શરીર સાફ થાય છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધીરે ધીરે રોગ ખતમ થવા લાગે છે.

Astro tips: નવરાત્રિ દરમિયાન શુક્રવારે મહાલક્ષ્મીના કરો  ચમત્કારી ઉપાય, વ્યાપારમા થશે વૃદ્ધિ

હાલ મા આદ્યશક્તિનું પાવન પર્વમાં શારદિય નવરાત્રિ ચાલ રહી છે. શક્તિની આરાધના આ પર્વમાં મહાલક્ષ્મીને પસન્ન કરવાનો પણ શુભ સમય છે.

શુક્રવારે મા  લક્ષ્મીજીને સમર્પિત છે. ધન લક્ષ્મીને પ્રસન્ન કરવા આ ઉપાય કરો

નવરાત્રિ દરમિયાન આવતા શુક્રવારે લક્ષ્મીજીના  મંત્રોના કરો જાપ કરો

શ્વેત પરિધાન ધારણ કરીને મહાલક્ષ્મીની  લક્ષ્મીની પૂજા કરો.શુક્રવારે મહાલક્ષ્મીને  કમળનું પુષ્પ અર્પણ કરો અને મા લક્ષ્મીનો દૂધથી  અભિષેક કરો.

લક્ષ્મીની સાથે વિષ્ણુભગવાની કરો પૂજા  અને સાકરવાળા દૂધનું નૈવદ્ય ધરાવો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો