Ganesh Chaturthi 2025:ભારતીય સંસ્કૃતિમાં કોઈપણ કાર્યની સફળતા માટે પહેલા મંગલાચરણ કે પૂજ્ય દેવોની વંદન કરવાની પરંપરા છે. કોઈપણ કાર્યને નિર્વિધ્ન સંપન્ન કરવાના હેતુથી સૌપ્રથમ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. તેમને બુદ્ધિદાતા પણ કહેવાય છે અને કોઈપણ કામની શુભ શરૂઆત તેમનું નામ લઈને જ કરવામાં આવે છે.
હાલ ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય રહ્યો છે. ભાદરવા સુદ ચોથને ગણેશ ચતુર્થીથી ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. ભાદરવા સુદ ચોથના દિવસે તેમનો જન્મ થયો હતો. ઉંદર ભગવાન ગણેશનું વાહન છે. ચાલુ વર્ષે ગણેશ ચતુર્થી તા. 27 ઓગસ્ટ બુધવારે હતી આ દિવસથી ગણેશત્સવની શરૂઆત થઇ.
હાથી જેવું માથું અને મોટું પેટ ગણપતિની ઓળખ છે. હિન્દુ શાસ્ત્રો મુજબ કાઈપણ કામની શરૂઆત કરતાં પહેલા ગણેશજીનું નામ લેવામાં આવે છે. ગણપતિની નીચેની પાંચ વસ્તુઓ ખૂબ પ્રિય છે.
1.મોદકઃ ભગવાન ગણેશનું વાહન ઉંદર જોઈને જ ખ્યાલ આવી જાય કે તેમને સ્વાદિષ્ટ ભોજન અને મીઠાઈ ખૂબ પસંદ છે. જો તમારે ગણપતિની કૃપા મેળવવી હોય તો ગણેશ ચતુર્થીએ બાપ્પાને મોદક અર્પણ કરવાનું ન ભૂલતા. ગણેશ ચતુર્થી ચૂકી જવાય તો ગણેશોત્સવમાં ગમે ત્યારે કરી શકાય છે.
2ગલગોટાનું ફુલ ગણેશોત્સવ દરમિયાન ઘણા લોકો ગણેશ સ્થાપન બાદ તેમના ગળામાં લાલ કે પીળા રંગના ગલગોટાના ફૂલથી બનેલી માળા ચઢાવે છે. ગણેશજીને આ ફૂલ ખૂબ પ્રિય છે. તેથી તેમના ગળામાં રહેલી માળા હમેશા હજારીના ફૂલની હોય છે.
3. ધરોઃઆ ઘાસને પસંદ કરવા પાછળની એક કથા છે. એકવાર દાનવ દેવતાને પરેશાન કરતા હતા. ત્યારે ભગવાન ગણેશ તે દાનવને સ્વાહા કરી ગયા, પરંતુ દાનવ પેટમાં જઈને હજમ થવાનું નામ નહોતો લેતો. તેના પરિણામે ભગવાન ગણેશને ખૂબ જ દર્દ થતું હતું. ત્યારે કેટલાક સંતોએ તેમના પર ધરો (દૂર્વા) ઘાસની વર્ષા કરી, જેના કારણે તેમના પેટમાં ઠંડક થઈ. આ ઘટના બાદ ભગવાન ગણેશજીને ધરો ધૉઘાસ અત્યંત પ્રિય થઈ ગયું
4. શંખઃગણેશજીને ચાર હાથ છે. જેમાં એક હાથમાં શંખ છે. ગણેશજીને શંખનો અવાજ ખૂબ પસંદ છે. તેથી લોકો આરતી સમયે હંમેશા જોરજોરથી શંખ વગાડે છે. એવું કહેવાય છે કે શંખના અવાજથી દુષ્ટ આત્માઓ દુર થઈ જાય છે.
5 કેળા અને નાળિયેરઃભગવાન ગણેશનું માથું હાથીનું છે. તેથી તેમને હાથીને જેમ કેળા ખાવા ખૂબ પસંદ છે. તેમની મૂર્તિની ચારે બાજુ કેળાના પાન અને નાળિયેરની સજાવટ કરવામાં આવે છે.