Gangajal Remedies: હિંદુ ધર્મમાં ગંગાજળનું ખૂબ મહત્વ છે. ગંગા નદીમાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્મા શુદ્ધ થાય છે. આને લગતા ઉપાયો પણ ખૂબ અસરકારક છે.


ઉત્તર ભારતમાં શ્રાવણ માસ શરૂ થઇ ગયો છે. ભગવાન શિવને શ્રાવણ માસ પ્રિય છે. આ મહિનામાં, કંવર યાત્રા પણ શરૂ થાય છે, જેમાં લાખો કંવરિયાઓ ગંગાજળ ભરીને શિવાલય પહોંચે છે. ગંગાજળ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક પૂજા અને અનુષ્ઠાનમાં ગંગાજળનો ઉપયોગ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ગંગાનું પાણી પવિત્ર હોવા ઉપરાંત અનેક ચમત્કારી ગુણોથી ભરેલું છે.


ગંગાજળનો છંટકાવ કરવાથી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ગંગાજળ સંબંધિત કેટલાક નિશ્ચિત ઉપાય કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે. જાણો ગંગા જળ સાથે જોડાયેલા ચમત્કારી ઉપાય વિશે


લાખ પ્રયત્નો છતાં તમારું દેવું ઓછું નથી થઈ રહ્યું, તો ગંગાના પાણીનો ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ગંગાજળને પિત્તળના વાસણમાં ભરીને રૂમના ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા પરનો દેવાનો બોજ ધીમે ધીમે ઓછો થવા લાગે છે.


જે લોકો લાંબા સમયથી બીમાર છે અથવા વારંવાર રોગનો શિકાર બને છે તેમના માટે ગંગા જળનો ઉપાય સારો માનવામાં આવે છે. તેના માટે દર રવિવાર અને મંગળવારે આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો. આ ઉપાયથી તમામ રોગો અને દોષ દૂર થઈ જાય છે અને નકારાત્મક શક્તિઓ ભાગી જાય છે.


જો તમને લાંબા સમય સુધી પ્રયાસ કરવા છતાં પણ સફળતા ન મળી રહી હોય તો એક પિત્તળના વાસણમાં ગંગા જળ ભરીને તેમાં 5 બેલપત્ર મૂકીને શિવલિંગ પર ચઢાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય 40 દિવસ સુધી કરવાથી યોગ્ય પરિણામ મળે છે.


બાળક  વારંવાર બીમાર પડતું હોય, નજર લાગતી હોય તો પણ ગંગા જળનો ઉપાય ફાયદાકારક છે. આ માટે ગંગાજળને એક વાસણ લઇને તેને અભિમંત્રિત કરીને બાળક પર તુલસી કે આંબા કે આસોપાલના પાનથી છંટકાવ કરો આ પ્રયોગથી  નકારાત્મક ઉર્જા ભાગી જાય છે.


જો લગ્નમાં કોઈ અડચણ આવી રહી હોય તો દરરોજ તમારા નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને એક ચપટી હળદર ઉમેરો.  ત્યારપછી તે પાણીથી સ્નાન કરો એવું માનવામાં આવે છે કે આ ઉપાય 21 દિવસ સુધી કરવાથી શીઘ્ર વિવાહના યોગ બને છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો