Horoscope Today 20 February 2022, Aaj Ka Rashifal, Daily Horoscope: પંચાંગ અનુસાર, આજે 20 ફેબ્રુઆરી 2022 ને રવિવાર મહાવદ ચોથની તિથિ છે. પંચાંગ અનુસાર ચંદ્ર કન્યા રાશિમાં છે. આજે હસ્ત નક્ષત્ર છે. આવો જાણીએ આજનું રાશિફળ
મેષઆજના દિવસે માનસિક શાંતિ પર ધ્યાન આપજો. ગ્રહોના આશીર્વાદ તમને ધ્યાન કેન્દ્રીયત કરવામાં મદદ કરી શકે છે. જો તમારી પાસે કોઈ આર્થિક મદદની આશા લઈને આવે ત નિરાશ ન કરતાં. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન-સન્માનમાં વધારો થાય.
વૃષભઆજના દિવસે આસપાસના લોકો સાથે વિનમ્ર સ્વભાવ રાખવો. આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિદ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારું છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય.
મિથુનવાહનસુખ, મકાન-મિલકતના સુખમાં વૃદ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતા આવકમાં વૃદ્ધિ થાય.
કર્કઆજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતા જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભપ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.
સિંહઆનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાની ખરીદી શકય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારું જળવાશે.
કન્યામાનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઈગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.
તુલાસંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફથી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.
વૃશ્ચિકઆજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃદ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.
ધનનોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારું રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.
મકરઆજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઈ શકાય. જૂની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામેે નાણામાં વૃદ્ધિ થાય.
કુંભદિવસ દરમિયાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.
મીનઆજના દિવસે મન ચિંતાગ્રસ્ત રહી શકે છે. યાત્રા દરમિયાન નિયમોનું ઉલ્લંઘન મોટી ચિંતામાં નાંખી શકે છે. તમારી મહેનતના કારણે બોસ પ્રસન્ન થઈ શકે છે. વેપારમાં રોકાણનો સમય નથી.