Grah Kalesh Upay : ગૃહ કંકાશ અને માનસિક તણાવ સહિતની કેટલીક સમસ્યાઓ મા લક્ષ્મીના આશિષથી પરિપૂર્ણ થાય છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાય જણાવવમાં આવ્યાં છે.


લક્ષ્મીજીની યોગ્ય રીતે પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. ખાસ કરીને શુક્રવારે કેટલાક ઉપાય કરવાથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહે છે.  શુક્રવારનો દિવસ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ દિવસે આ ઉપાય કરવાથી ઘરની પરેશાનીઓ અને તણાવ જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે.


ગૃહ ક્લેશને કેવી રીતે કરશો દૂર?


જો કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે તો તેની અસર ઘરના દરેક સભ્ય પર પડે છે. મનને શાંતિ મળતી નથી. માનસિક તણાવ હંમેશા રહે છે. વ્યક્તિ પોતાની પ્રતિભા અને પૈસાનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી. મનમાં સતત ખરાબ વિચારો આવતા રહે છે. વિવાદ અને વાદ-વિવાદની સ્થિતિ વધે. માન-સન્માનમાં પણ ઘટાડો જોવા મળે છે. આ તમામ સંકેતો ઘરની તકલીફના છે. જો તમે આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આજે જ અપનાવી શકો છો આ ઉપાયો-


શુક્રવારની રાત્રે સૂતા પહેલા પિત્તળના વાસણમાં ગાયના ઘીમાં કપૂર સળગાવી દો. આ પ્રક્રિયા દર શુક્રવારે કરો. તેની સાથે આ મંત્રની માળાનો જાપ કરો-


ઓમ ક્રાન ક્રી ક્રૂન કાલિકા દૈવ્યો શામ શિન શુન મે શુભ કુરુ


મીઠાના પોતા કરો


મીઠાના ઉપાયથી પણ નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે. ઘર સાફ કરતી વખતે, જો પોતોના પાણીમાં એક ચમચી મીઠું નાખો,  તેનાથી ઘરની ફ્લોરને સાફ કરો.  આમ કરવાથી પણ ઘરની પરેશાનીઓ અને તણાવ વગેરેની સમસ્યામાંથી મુક્તિ મળે છે. શુક્રવારના દિવસે મીઠા આ પ્રયોગ  વિશેષ ફળદાયી માનવામાં આવે છે.


સૂવાની યોગ્ય દિશા જાણી લો


ઘણી વખત ઊંઘવાની ખોટી દિશાને કારણે પરેશાની અને તણાવની સ્થિતિ પણ સર્જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હંમેશા પૂર્વ કે દક્ષિણ તરફ માથું રાખીને સૂવું સારું કહેવાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે Abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.