Monday Remedies: સોમવાર મહાદેવને સમર્પિત છે. કહેવાય છે કે, સોમવારે વ્રત અને  ભગવાન શિવની પૂજા કરવાથી દાંપત્ય  જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. એવું કહેવાય છે કે,  મહાદેવ ખૂબ જ ભોળા હોવાથી  સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. સોમવારના  દિવસે ભગવાન શિવની પૂજા કરવી અને તેનાથી સંબંધિત કેટલાક ખાસ ઉપાયો ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ આવે છે અને ભગવાન શિવની કૃપા ભક્તો પર વરસે છે. આવો જાણીએ સોમવારે ક્યાં ઉપાય કરવાથી દાંપત્ય જીવનના સંકટો દૂર થાય છે.


સોમવારે કરો આ ઉપાયો



  • સોમવારે સાચા મનથી ભગવાન શિવની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

  • સોમવાર શિવ પૂજા માટે સમર્પિત છે. આ દિવસે ભોલેનાથનો અભિષેક ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે શિવલિંગ પર ચંદન, અક્ષત, બિલ્વપત્ર, ધતુરા, દૂધ અને ગંગાજળ અર્પિત કરવાથી ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

  • સોમવારે ભગવાન શિવને ઘી, ખાંડ અને ઘઉંના લોટનો પ્રસાદ ચઢાવવો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભોગ પછી, ધૂપ અને દીપથી ભોલેનાથની આરતી કરો અને પ્રસાદ વહેંચો. આમ કરવાથી શિવની કૃપાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહે છે.

  • સોમવારે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. શિવલિંગ પર ગાયનું કાચું દૂધ ચઢાવવું એ પણ અસરકારક ઉપાય માનવામાં આવે છે.

  • સોમવારે સ્નાન કર્યા પછી સફેદ રંગના કપડાં પહેરવા, આ દિવસે સફેદ રંગની ખાદ્ય સામગ્રી જરૂરિયાતમંદોને દાન કરવી જોઈએ. તેનાથી કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં સુખ-શાંતિ આવે છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.