Astor  Tips:   ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી  કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે.


ખાવા ઉપરાંત આપણે બધા પૂજા પાઠમાં સોપારીનો ઉપયોગ કરીએ છીએ. જો કે પૂજામાં ઉપયોગમાં લેવાતી સોપારી  કદમાં નાની હોય છે, પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં તેના ઘણા ચમત્કારી ગુણો વર્ણવવામાં આવ્યા છે. જ્યોતિષમાં સોપારીના અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જેને કરવાથી જીવનમાં આવનારી પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે. સોપારીને ભગવાન ગણેશ અને ગૌરી તરીકે પણ પૂજવામાં આવે છે. જ્યોતિષમાં સોપારીના ઉપાયોનો  વેપાર વધારવા, અટકેલા કાર્યોને પૂરા કરવા અને લગ્નમાં આવતા અવરોધોને દૂર કરવા માટે કરવામાં આવે છે.


- કોઈપણ શનિવારે પીપળના ઝાડ નીચે એક સોપારી અને એક સિક્કો રાખીને આવો અને બીજા દિવસે પીપળની પૂજા કર્યા પછી તેનું એક પાન લઈને તેમાં સોપારી અને સિક્કો લપેટીને તમારી તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. . આમ કરવાથી ધંધામાં વૃદ્ધિની સાથે ધનની પણ વૃદ્ધિ થશે.


- જો કોઈ વ્યક્તિના કામમાં અડચણો આવી રહી હોય અથવા કોઈ કામ ન થઈ રહ્યું હોય તો દર મહિનાની ગણેશ ચોથના દિવસે ભગવાન ગણેશને સોપારી અને લવિંગ અર્પણ કરો અને જ્યારે પણ તમે કામ પર જાઓ ત્યારે આ સોપારી અને લવિંગ તમારી સાથે રાખો. . આમ કરવાથી તમે જે કામ માટે નીકળા છો તે  ચોક્કસ પૂર્ણ થશે.


મહિનાના કોઈપણ શુક્રવારે અથવા પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને સોપારી અર્પણ કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો. સોપારીની ફરતે લાલ દોરો લપેટીને તમારી સંપત્તિની જગ્યા અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહેશે.


મહિનાના કોઈપણ દિવસે સવારે સ્નાન કર્યા પછી એક સોપારી પર અક્ષત, સિંદૂર અને ઘી ભેળવીને ભગવાન ગણેશને સ્વસ્તિક બનાવો અને તેના પર સોપારી મૂકો. જે  ભગવાન ગણેશને અર્પણ કરો. હવે તેને તમારા પૈસાની જગ્યા અથવા તિજોરીમાં રાખો. આમ કરવાથી ધનની ક્યારેય કમી નથી રહેતી.


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો