Guru Purnima 2024 :ગુરુ દરેકના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના માર્ગદર્શનની મદદથી શિષ્ય માટે સફળતા પ્રાપ્ત કરવી સરળ બને છે. જીવનમાં સાચો માર્ગ બતાવવામાં ગુરુનો મોટો ફાળો છે, તેથી વ્યક્તિએ હંમેશા તેમનો આદર કરવો જોઈએ. ગુરુ પૂર્ણિમા એ બધા ગુરુઓનું સન્માન કરવાનો ખૂબ જ શુભ દિવસ છે. આ દિવસે, ગુરુની સાથે, વ્યક્તિએ પોતાના વડીલોની પણ પૂજા કરવી જોઈએ, તેનાથી જીવનમાં તેમના આશીર્વાદ આવે છે.


ગુરુ દરેકના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમના માર્ગદર્શનની મદદથી શિષ્ય માટે સફળતા પ્રાપ્ત કરવી સરળ બને છે. જીવનમાં સાચો માર્ગ બતાવવામાં ગુરુનો મોટો ફાળો છે, તેથી વ્યક્તિએ હંમેશા તેમનો આદર કરવો જોઈએ. ગુરુ પૂર્ણિમા એ બધા ગુરુઓનું સન્માન કરવાનો ખૂબ જ શુભ દિવસ છે. આ દિવસે, ગુરુની સાથે, વ્યક્તિએ પોતાના વડીલોની પણ પૂજા કરવી જોઈએ, તેનાથી જીવનમાં તેમના આશીર્વાદ આવે છે.આ વર્ષે ગુરુ પૂર્ણિમા 21મી જુલાઈ 2024ના રોજ ઉજવવામાં આવશે. આ તારીખ 20 જુલાઈના રોજ સાંજે 5:59 વાગ્યાથી શરૂ થશે. તે 21 જુલાઈના રોજ બપોરે 3:46 કલાકે સમાપ્ત થશે.


ગુરુ પૂર્ણિમા પૂજા પદ્ધતિ


ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. આ પછી ભગવાન વેદ વ્યાસ અને તમારા ગુરુની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરો. આ સમય દરમિયાન, તેમને ફૂલ, ફળ અને મીઠાઈઓ અર્પણ કરો. બાદમાં તમારા ગુરુ મંત્રોનો જાપ કરો. આ દરમિયાન ગુરુ ચાલીસાનો પાઠ પણ કરો.


અષાઢ શુક્લપક્ષની પૂર્ણિમા તિથિએ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. આ પર્વ ગુરુના સન્માનમાં મનાવવામાં આવે છે. આજે એટલે કે, 20 જુલાઇના દિવસે ગુરુપૂર્ણિમાનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. જ્યોતિષ મુજબ જો આજના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી સફળતા મળે છે તેમજ જીવનમાં સુખ શાંતિનો અનુભવ થાય છે. ઉપરાંત કેટલાક ખાસ ઉપાય કરવાથી આપ એકાગ્રતા બુદ્ધિ, સ્મરણ શક્તિને વધારી શકે છે.


 આપના બાળકનું મગજ વધુ કામ ન કરતું હોય. યાદશક્તિ ન હોય તેમજ આપને ખુદ જ્ઞાન અર્જિત કરવામાં મુશ્કેલી પડે છે. વિદ્યાઅભ્યાસમાં અનેક વિધ્ન આવે છે. ખૂબ મહેનત કરવા છતાં પણ સફળતા નથી મળતી આ સ્થિતિમાં ગુરુ પર્ણિમાના દિવસે કેટલાક ઉપાય કરવાથી વિધા અભ્યાસ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે.


પહલો ઉપાય
જો આપનો ગુરુ નબળો હોય કંડુલીમાં દોષ હોય તો પીપળાના વૃક્ષમાં જળ અર્પિત કરો. આ સાથે સાત વખત પીપળાને સૂતર લપેટો.આવું કરવાથી કુંડલીના દોષ દૂર થશે.


બીજો ઉપાય
કેસરના થોડા તાંતણા લઇને તેને ગંગાજળમાં ઘોળીને ગુરૂપૂર્ણિમાંથી માંડીને 40 દિવસ સુધી તેનું તિલક કરો. આવું ઉપાયથી એકાગ્રતા વધશે અને સ્મરણ શક્તિમાં પણ વૃદ્ધિ થશે.


ત્રીજો ઉપાય
જો આપના લગ્નમાં વિઘ્ન આવતાં હોય અથવા તો વિવાહમાં વિલંબ થઇ રહ્યો હોય તો. ગુરુપૂર્ણિમાના દિવસે લક્ષ્મી નારાયણના મંદિરે જઇને બે કેળના છોડ અર્પણ કરો. શીઘ્ર વિવાહના યોગ બનશે.


ચોથો ઉપાય
જો આપને નોકરી પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી રહી હોય તો ગુરુપુર્ણિમાના દિવસે કોઇ સૂમસાન જગ્યાએ  અથવા કોઇ ચાર રસ્તા પર જઇને સિક્કો જમીનમાં દબાવી દો. આ ક્રિયા કર્યાં બાદ પાછળ ફરીને ન જોવું,. આપને શીઘ્ર નોકરી પ્રાપ્ત થશે.


પાંચમો ઉપાય
જો આપનો સમય ખરાબ ચાલી રહ્યો હોય. કોઇ કામ ન થતું હોય. દરેક કાર્યમાં વિઘ્ન આવતાં હોય તો આપે ગુરુને પીળા વસ્ત્રોની ભેટ અથવા પીળું ફુલ ગુરૂને અર્પણ કરવું. આજના દિવસે ભાવથી ગુરૂનું પૂજન અર્ચન કરવાથી પણ જીવનના દરેક વિઘ્નો દૂર થાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે.