Shrawan 2025: દેવોના દેવ મહાદેવને શ્રાવણ માસ અતિ  પ્રિય છે.  શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇથી થઇ રહ્યો છે.  કહેવાય છે કે,  આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતી પૃથ્વી પર આવે છે. આ અવસર પર દરરોજ ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ સાથે જ સાવન સોમવારે વ્રત પણ રાખવામાં આવે છે. આ દિવસે સાડા સતી (શનિ સતી ઉપાય) થી છુટકારો મેળવવા માટે વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે.

Continues below advertisement


જ્યોતિષશાસ્ત્રમાં ન્યાયના દેવતા શનિદેવને મોક્ષ પ્રદાતા પણ કહેવામાં આવે છે જ્યોતિષના મતે ભગવાન મહાદેવની પૂજા કરવાથી સાડે સતીની અસર દૂર થાય છે. જો તમે પણ સાડાસાતીથી  પીડિત છો, તો શ્રાવણ સોમવારે ભગવાન શિવને આ વસ્તુઓથી અભિષેક કરો


ન્યાયના દેવતા શનિદેવના ઉપાસક ભગવાન શિવ છે. સરળ શબ્દોમાં કહીએ તો શનિદેવ પોતે પણ મહાદેવની પૂજા કરે છે. ભગવાન શિવના વરદાનથી શનિદેવને ન્યાય આપવાનો અધિકાર મળ્યો છે. તેથી ભગવાન શિવની પૂજા કરવાથી શનિદેવ ઝડપથી પ્રસન્ન થાય છે. આ માટે શ્રાવણના સોમવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ગંગા જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો. આ સમયે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો.


સાડાસાતીથી  મુક્તિ મેળવવા માટે, શ્રાવણ મહિનામાં, દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી, ગંગા જળમાં બેલપત્ર ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરો. આ સમયે શિવ પંચાક્ષરી મંત્રનો જાપ કરો. પૂજાના અંતે, સાડાસાતીથી  મુક્તિ માટે પ્રાર્થના કરો.


જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો શનિવાર અને  સોમવારે ભગવાન શિવને ગંગાજળમાં આખા અડદ નાખીને  અભિષેક કરો. આ ઉપાય કરવાથી સાડાસાતીથી પણ રાહત મળે છે.


જો તમે ધન પ્રાપ્ત કરવા ઈચ્છો છો અથવા આર્થિક તંગી દૂર કરવા ઈચ્છો છો, તો શ્રાવણ  મહિનામાં દરરોજ શેરડીના રસથી ભગવાન મહાદેવનો અભિષેક કરો. આ ઉપાયને અનુસરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.


જો તમે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માંગો છો તો શ્રાવણના  સોમવારે ભગવાન શિવને મધનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી સાધક પર શનિદેવની કૃપા વરસે છે. શનિદેવની કૃપાથી સાડાસાતીની  અસર સમાપ્ત થાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો