Vastu Dhan Upay: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, તેની તિજોરી ક્યારેય ખાલી ન થાય એટલે કે તેને ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો ન કરવો પડે. આવી સ્થિતિમાં, જો તમે વાસ્તુ  સંબંધિત કેટલાક ઉપાયો અજમાવો છો, તો તમને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે. ચાલો જાણીએ ધન વૃદ્ધિ  સંબંધિત કેટલાક વાસ્તુ ઉપાયો, જેને અપનાવવાથી તમે લાભ મેળવી શકો છો.


વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેનાથી વ્યક્તિની ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, કેટલીક આ નાની-નાની વસ્તુઓને પોતાની તિજોરીમાં રાખવાથી વ્યક્તિને ઘણા ફાયદા થઈ શકે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર ઘરમાં તિજોરી રાખવા માટે યોગ્ય જગ્યા કઈ કઇ દિશા મહત્વની છે અને અંદર શું રાખવું જોઇએ.


કઇ દિશામાં હોવી જોઇએ તિજોરી


વાસ્તુ શાસ્ત્રમાંઅલમારીમાં પૈસા રાખવાની સાચી દિશાનું પણ વર્ણન  છે. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે ઘરની તિજોરી દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તમારા લોકરને એવી રીતે રાખો કે તેનો દરવાજો ઉત્તર તરફ ખુલે.


આ બાબતોનું રાખો ધ્યાન


તમે તમારી તિજોરીમાં ભગવાન જીની મૂર્તિ પણ સ્થાપિત કરી શકો છો. આમ કરવાથી વ્યક્તિની તિજોરી ક્યારેય ખાલી રહેતી નથી. પરંતુ તેની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નિયમિત રીતે ભગવાનની મૂર્તિને તિજોરીમાંથી કાઢીને તેને સાફ કરો અને તેની નિયમિત પૂજા કરો. તો જ તમે તેનો લાભ મેળવી શકશો.


તિજોરીમાં રાખો આ વસ્તુ


દેવી-દેવતાઓની મૂર્તિઓની સાથે-સાથે અન્ય કેટલીક વસ્તુઓને તિજોરીમાં રાખવી પણ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં સોપારીનો ખાસ કરીને ધાર્મિક વિધિઓમાં ઉપયોગ કરવામાં આવે છે. પૂજાની સંપૂર્ણ અને અખંડ સોપારી ગૌરી-ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પૂજા પછી તે સોપારીને તિજોરીમાં રાખી શકાય છે. આ વ્યક્તિ માટે પૈસા કમાવવાનો માર્ગ ખોલે છે.                 


કરો આ વાસ્તુ ઉપાય


વાસ્તુ અનુસાર તમારી તિજોરી અંદરથી લાલ રંગની હોવી જોઈએ. જ્વેલરી વગેરે રાખવા માટે પીળા રંગના બોક્સનો ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિ ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકે છે.